ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપવા વાળી PM કિસાન સન્માન નિધિ સ્કીમ હેઠળ 8,67,33,956 રૂપિયા 10 કરોડ ખેડૂતોનાના ખાતામાં છઠ્ઠા હપ્તા સ્વરૂપે પહોંચી ગયા છે.
આવી સ્થિતિમાં હજુ 1.3 કરોડ ખેડૂત છે જેમના નાણાં હજુ સુધી ખાતામાં પહોંચ્યા નથી. PM નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ PM કિસાન યોજનાનો છઠ્ઠો હપ્તો બહાર પાડ્યો છે. આ યોજના અંતર્ગત વાર્ષિક 6,000 રૂપિયા ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. જો તમે આ યોજનાના લાભાર્થી છો તો પછી તમે ખૂબ જ સરળતાથી ચકાસી શકો છો કે છઠ્ઠો હપ્તો તમારા ખાતામાં આવ્યો છે કે નહીં.
સૌ પ્રથમ તમારે PM કિસાન યોજના વેબસાઇટ https://pmkisan.gov.in/ ની મુલાકાત લેવી પડશે. અહીં તમારે જમણી બાજુએ Farmers Cornerમાં Beneficiary Status પર ક્લિક કરવું પડશે.
નવું પેજ ખુલ્યા પછી તમારી પાસે ત્રણ વિકલ્પો હશે. તમે યોજનામાં આધાર કાર્ડ નંબર, એકાઉન્ટ નંબર અથવા નોંધાયેલ મોબાઇલ નંબર દાખલ કરીને તમારું સ્ટેટસ જાણી શકો છો.
બેંક એકાઉન્ટ નંબર, આધાર અથવા મોબાઇલ નંબર દાખલ કર્યા પછી, Get Data પર ક્લિક કરો. હપ્તાની માહિતી તમારી સામે આવી જશે.
જો સ્ક્રીન પર '‘FTO is generated and Payment confirmation is pending' એવો સંદેશ આવે છે, તો તેનો અર્થ એ છે કે તમારા એકાઉન્ટમાં હપ્તા ટ્રાન્સફરની પ્રક્રિયા ચાલુ છે અને પૈસા તમારા ખાતામાં પહોંચી જશે.
જો તમારા રજિસ્ટ્રેશનમાં કોઈ ખામી હશે અથવા આધારકાર્ડ લિંક ન થવાથી આવું થયું છે તો તેનો ઉલ્લેખ પણ કરવામાં આવશે.
એટલું જ નહીં જો તમે કિસાન યોજના હેઠળ રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તો તમે સહેલાઈથી કરી શકશો. આ માટે New Farmer Registration ઉપર ક્લિક કરવું પડશે અને આગળની પ્રક્રિયાનું પાલન કરવું પડશે. નોંધનીય છે કે આ સ્કીમ હેઠળ કેન્દ્ર સરકાર 14 કરોડ ખેડૂતોને જોડવાનું લક્ષ્ય રાખ્યું છે.