આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા મેસેજ વાયરલ થતાં હોય છે, તેનાથી લોકો ફ્રોડનો શિકાર પણ બની જાય છે, તેથી કોઈ પણ લિંક પર ક્લિક કરતા પહેલા સો વાર વિચારજો.
સોશિયલ મીડિયા પર વાયરલ થયો મેસેજ
જેમાં એક લિંક પણ આપવામાં આવી છે
તેના પર ક્લિક કરતા પહેલા સો વાર વિચારજો
આપના મોબાઈલ ઈનબોક્સમાં ચેક કરી લો, ક્યાંક આપને તો નથી આવ્યો ને વેક્સિન સાથે જોડાયેલ મેસેજ ? મેસેજમાં લખ્યુું છે કે જે લોકોને વેક્સિન લગાવી દીધી છે. તેમને સરકાર તરફથી 5,000 રૂપિયા આપવામાં આવી રહ્યા છે. સરાકર આ રકમ પ્રધાનમંત્રી જનકલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરી રહી છે. બની શકે કે, આપને પણ આવો જ મેસેજ આવ્યો હોય, આજકાલ આવા મેસેજ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જો તમને પણ આ પ્રકારનો મેસેજ મળ્યો હોય તો, સાવધાન થઈ જજો. કોઈ પણ પ્રકારના રજીસ્ટ્રેશનમાં ઉતાવળ કરતા નહીં. જો આવું કરશો તો કોઈ મોટો ફ્રોડનો શિકાર થઈ જશો. આ વાત ખુદ સરકાર જણાવી રહી છે. તો આવો જાણીએ આખરે આ શું મામલો છે !
પ્રેસ સાથે જોડાયેલ કામકાજને જોનારા સરકારી બ્યૂરો પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોએ આ વાયરલ મેસેજની પડતાલ કરી છે. ટ્વિટર હેંડલ પર આ મેસેજને શેર કર્યો છે. મેસેજમાં લખ્યું છે કે, એક જરૂરી સચૂના... જેમણે વેક્સિન લગાવી લીધી છે, તેમને 5,000 રૂપિયા પ્રધાનમંત્રી જન કલ્યણા વિભાગ દ્વારા આપવામાં આશે. આપે પણ કોરોના વેક્સિન લીધી હોય તો, આ ફોર્મ ભરો અને 5000 રૂપિયા મેળવો. વાયરસ મેસેજમાં એક લિંક પણ આપવામાં આવી છે, જેના પર ક્લિક કરતા રકમ માટેનું અરજી ફોર્મ ખુલશે.
एक वायरल मैसेज में दावा किया जा रहा है कि जिन लोगों ने कोविड वैक्सीन लगवा ली है उन्हें एक ऑनलाइन फॉर्म भरने के बाद प्रधानमंत्री जन कल्याण विभाग द्वारा ₹5,000 प्रदान किए जा रहे हैं #PIBFactcheck:
પોતાની પડતાલ બાદ PIB એ આ વાયરલ મેસેજને નકલી ગણાવ્યો છે. પીઆઈબીએ કહ્યું છે કે, એક વાયરલ મેસેજમાં દાવો કરવામા આવી રહ્યો છે કે, જે લોકોએ કોવિડ વેક્સિન લગાવી છે, તેમણે ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ પ્રધાનમંત્રી જનકલ્યાણ વિભાગ દ્વારા 5,000 રૂપિયા આપવામાં આવે છે. આ મેસેજનો દાવો નકલી છે. મહેરબાની કરીને આ પ્રકારના નકલી દાવા ફોરવર્ડ કરવા નહીં.
મેસેજથી ફ્રોડ કરી રહ્યા છે લોકો
આ મેસેજ દ્વારા લોકોને છેતરવાનું કામ કરવામા આવી રહ્યું છે. મેસેજમાં કહેવાયુ છે કે, મહેરબાની કરીને ધ્યાન આપો, 5000 રૂપિયાની રકમ ફક્ત 30 જૂલાી 2022 સુધી જ મળશે. મેસેજમાં આપવામાં આવેલી લિંક પર ક્લિક કર્યા બાદ અરજી કરવાની રહેશે. હકીકતમાં આવી લિંક દ્વારા ફ્રોડ કરવામાં લોકોને સરળતા રહે છે. કેમ કે, સરકાર તરફથી આવી કોઈ યોજના કે સ્કીમ બહાર પાડવામાં આવી નથી. કોઈ પણ વ્યક્તિ આ પ્રકારના ફ્રોડનો શિકાર થઈ શકે છે. સરકારી સ્કીમ સમજીને આવી લિંક પર ક્લિક કરશો, તો ભરાઈ જશો, તેથી સાવધાન રહો, સતર્ક રહો.