અમિત શાહ (Amit Shah)ના હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાની અપીલ વાળા નિવેદન પર રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. હવે આ ક્રમમાં એમના પર કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયને નિશાન સાધ્યું છે. વિજયને રવિવારે કહ્યું કે આ વિવાદ ઉભો કરવાનો સુનિયોજિત પ્રયાસ છે. જેથી દેશની સામે રહેલી વર્તમાન ગંભીર સમસ્યાઓથી ધ્યાન ભટકાવી શકાય.
અમિત શાહની હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાની અપીલ પર વિવાદ
કેરળના CM પિનરાઇ વિજયને નિશાન સાધ્યું
CM પિનરાઇ વિજયને કહ્યું -આ વિવાદ ઉભો કરવાનો સુનિયોજિત પ્રયાસ
મુખ્યમંત્રી પિનરાઇ વિજયને તેને બિન હિન્દી ભાષી લોકોની માતૃભાષા વિરુદ્ધ યુદ્ધઘોષ બતાવ્ચો છે. વિજયને કહ્યું કે આ ધારણા પાયાવિહોણી છે કે હિન્દી રાષ્ટ્રને એકજુટ કરી શકે છે. મુખ્યમંત્રીએ ફેસબુક પર એક પોસ્ટ લખી કહ્યું કે આ મુદ્દા પર ઘણી જગ્યાઓ પર પ્રદર્શન થવા છતા શાહ હિન્દી એજન્ડાથી હટવા તૈયાર નથી. આ સંકેત છે જે બતાવે છે કે સંઘ પરિવાર વધુ એક આંદોલનનું મંચ ખોલવાની તૈયારી કરી રહ્યું છે.
જોકે, કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને આ પગલાનું સ્વાગત કરતા કહ્યું કે ભાષા લોકોને પ્રેરણા આપે છે અને એકજુટ કરે છે. હિન્દીથી દેશની એકતાને વધુ મજબુતી મળી શકે છે. એમણે શનિવારે હિન્દી દિવસ પર એક ટ્વિટમાં કહ્યું, એક ભાષા લોકોને પ્રેરણા આપે છે અને એકજુટ કરે છે. આપણી રાષ્ટ્રીય ભાષાની સાથે, હિન્દીનો ઉપયોગ પણ આપણા કામોમાં કરીએ.
નોંધનીય છે કે, અમિત શાહને હિન્દી દિવસના અવસર પર શનિવારે ટ્વિટ કરી કહ્યું કે, આજે હિન્દી દિવસના અવસર પર હું દેશના તમામ નાગરિકોને અપીલ કરું છું કે, આપણે પોત પોતાની માતૃભાષાના પ્રયોગને પ્રોત્સાહન આપીએ અને સાથે જ હિન્દી ભાષાનો પણ પ્રયોગ કરી દેશની એક ભાષાના પૂજ્ય બાપૂ અને લોહ પુરુષ સરદાર પટેલના સ્વપ્નને સાકાર કરવામાં યોગદાન આપે.