રાજીવ સાતવના નિધન બાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારીની ખાલી પડેલી આ જગ્યા માટે હાઈકમાન્ડે કોંગ્રેસના અવિનાશ પાંડે નામ ઉપર પસંદગી ઉતારી છે.
અવિનાશ પાંડે બનશે ગુજરાત કોંગ્રેસના પ્રભારી
મહારાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા છે અવિનાશ પાંડે
અશોક ગેહલોત જૂથના નેતા છે અવિનાશ પાંડે
કોંગ્રેસ હાઇકમાન્ડે ગુજરાતના પ્રભારી તરીકે અવિનાશ પાંડે પર પસંદગી ઉતારી આગામી દિવસોમાં તેના નામની જાહેરાત કરવામાં આવે તેવું જણાઈ રહ્યું છે મહત્વનં છે કે રાજીવ સાતવના નિધન બાદ આ જગ્યા ખાલી પડી હતી. જો કે ગુજરાતના પ્રદેશ પ્રભારી તરીકે સચિન પાયલોટનું નામ પણ ચર્ચામાં હતું પણ સચિન પાયલોટે ઘસીને ના પાડી દેતા હવે હાઈકમાન્ડે કોંગ્રેસના અવિનાશ પાંડે ઉપર પસંદગી ઉતારી છે.
મહારાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા છે અવિનાશ પાંડે
ગુજરાત કોંગ્રેસના પ્રભારી, સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજીવ સાતવનું કોરોનાના કારણે અવસાન થતા ગુજરાત કોંગ્રેસના પ્રભારીનું પદ ખાલી પડ્યું હતું કોંગ્રેસ હજી સુધી ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે કોઈની નિમણૂંક કરી નથી જોકે હાલ ગુજરાતના પ્રભારી તરીકે અવિનાશ પાંડેના નામની ચર્ચા ચાલી રહી છે આ પહેલા રાજસ્થાનના વરિષ્ઠ નેતા સચિન પાઈલટને પ્રભારી બનવાની ઓફર આપી હતી, પરંતુ તેમણે સ્પષ્ટ ના પાડી દેતા હવે કોંગ્રેસના મોટા નેતાઓ કોણ પહેલો એની ચિંતાઓ સતાવી રહી છે એટલે કે કોંગ્રેસના નેતાઓ અને લોકો વચ્ચે કોણ બનશે ગુજરાત કોંગ્રેસના પ્રભારી તે સવાલ ઉભો થઈ રહ્યો છે.
અવિનાશ પાંડે બનશે ગુજરાત કોંગ્રેસના પ્રભારી
મહત્વનું છે કે ગુજરાતમાં દોઢ વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે વર્ષ 2022ના અંતમાં ચૂંટણી થાય તે પહેલાં જ રાજકીય પાર્ટીઓ પોતાની તૈયારીઓમાં વ્યસ્ત બની ગઈ છે, પરંતુ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું આકસ્મિક નિધન થતાં ગુજરાત કોંગ્રેસ અત્યારે નેતૃત્વ વગરની જોવા મળી રહી છે. એક તરફ વિપક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખની પસંદગીને લઈને ચર્ચા ચાલી રહી છે.
અશોક ગેહલોત જૂથના નેતા છે અવિનાશ પાંડે
બીજી તરફ પ્રભારી રાજીવ સાતવનું અવસાન થયા બાદ હવે પાર્ટીનું હાઈકમાન્ડ પણ સક્રિય થયું છે. જોકે, સચીન પાયલટે ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનવાની ધરાર ના પાડી છે. હવે બી. કે. હરિપ્રસાદ, મોહન પ્રકાશ, અવિનાશ પાંડે અને મુકુલ વાસનીકના નામ પર ચર્ચા બાદ હવે અવિનાશ પાંડે પર પસંદગીનો કળશ ઉતારવામાં આવ્યો છે. અવિનાશ પાડે અશોલ ગેહલોત જૂથના નેતા હોવાનું માનવામાં આવે છે. અગાઉ પણ રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી તરીકે કાર્યભાર સંભાળી ચુક્યા છે. તેમજ મહારાષ્ટ્ર કોંગ્રેસમાં દિગ્ગજ નેતા તરીકે તેઓ મોખરાનું સ્થાન ધરાવે છે. ત્યારે કોંગ્રેસ હાઇકમાન્ડે ગુજરાતના પ્રભારી તરીકે અવિનાશ પાંડે પર પસંદગી ઉતારી છે અવિનાશ પાંડે આવનાર વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસને કેવો ફાયદો કરાવે છે તે જોવાનું રહ્યું ?