એક મંદિર એવું છે જ્યાં લોકો ભેંટમાં મોંઘી મોંઘી ઘડિયાળો ચઢાવે છે. જાણો શું છે આ પાછળની માન્યતા
સગસ બાવજી મંદિર છે અજીબ
અહી ભક્ત ચઢાવે છે ઘડિયાળો
દર વર્ષે નદીમાં વહાવાય છે ઘડિયાળો
સગસ બાવજી મંદિર છે અજીબ
ભારત ઘણા અજીબ અને રહસ્મયી મંદિરોનું ઘર છે. આમાં અમુક મંદિરોમાં તો અજીબ પરંપરાઓ નિભાવવામાં આવે છે. પરંતુ લોકોની આસ્થાનાં કેંદ્ર જેવા આ મંદિરોમાં ઘણા લોકો જાય છે અને તેમની મનોકામનાઓ પૂરી પણ થાય છે. આજ મંદસોરના એક આવા જ મંદિરની વાત કરી રહ્યા છીએ, જે અત્યંત અજીબ છે કેમકે આ મંદિરમાં ન તો કોઈ દેવી-દેવતાની મૂર્તિ છે તથા ન કોઈ પંડિત-પૂજારી બેસે છે. છતાં પણ લોકો અહી આવે છે તથા માથું નમાવીને પોતાની માનતાઓ માંગે છે. આ મંદિરનું નામ સગસ બાવજી મંદિર છે.
ધનની રક્ષા કરે છે યક્ષ
સગસ બાવજી એટલે યક્ષ. સ્થાનીય લોકોની માન્યાતા છે કે સગસ બાવજીને જ શાસ્ત્રોમાં યક્ષ કહેવામાં આવ્યા છે. તેઓ ધનની રક્ષા કરે છે. અહીંનાં લોકોનું કહેવું છે કે અહી પર યક્ષ સાકાર રૂપમાં જોવા મળે છે તથા ભટકેલ લોકોને માર્ગ બતાવે છે. એટળા માટે લોકો દૂર દૂરથી અહી આવે છે, એટલે તેઓ સાચી દિશા મેળવી શકે તથા તેમના જીવનમાંથી દુઃખ દૂર થઇ શકે.
ભેંટમાં ચઢાવાય છે ઘડિયાળો
આ મંદિર સાથે જોડાયેલ રોચક તથ્ય અહી પૂરા નથી થતા. પરંતુ આ મંદિરમાં ભક્તો દ્વારા ચઢાવવામાં આવતી ભેંટો અત્યંત અજીબ છે. લોકો અહી આવીને સગસ બાવજીને ભેંટમાં ઘડિયાળો ચઢાવે છે. માન્યતા છે કે આવું કરવાથી ખરાબ સમય દૂર થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે. કહેવાય છે કે થોડા જ દિવસોમાં આ મંદિરમાં ઘડિયાળોનો ઢગલો થઇ જશે. એટલું જ નહિ એમ પણ કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ અહીથી ઘડિયાળની ચોરી કરે છે, તો સમયથી તેનો ખરાબ સમય શરુ થઇ જાય છે. એટલા માટે આ ઘડિયાળને કોઈ ભૂલથી પણ ઘરે નથી લઇ જતું.
નદીમાં વહાવી દેવાય છે ઘડિયાળો
જ્યારે મંદિરમાં ઘડિયાળોનો ઢગલો થઇ જાય છે તો તેને અહીની પાસેની નદીમાં વહાવાય છે. અ મંદિરમાં ઘડિયાળોનો ઢગલો હોવા છતાં અહી તાળું મારવામાં આવતું નથી. કહેવાય છે કે એક વાર એક વ્યક્તિએ અહીથી 5 ઘડિયાળનીચોરી કરી હતી, તો તેની આંખોમાં અંધાપો આવી ગયો હતો, જ્યારે તેણે મંદિરમાં 10 ઘડિયાળો ભેંટ કરી, ત્યારે જઈને તેની આંખો સાજી થઇ. લોકો અહી સંતાન પ્રાપ્તિથી લઈને ઘણી ખોવાયેલ વસ્તુઓ મળવા સુધીની માનતાઓ માંગે છે.