દિલ્હી દારુ કૌભાંડમાં તિહાડમાં કેદ પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયાની ઈડીની ધરપકડ પર સીએમ કેજરીવાલે એક મોટું નિવેદન આપ્યું છે.
સીબીઆઈ બાદ ઈડી એક્શનમાં
તિહારમાં બંધ મનીષ સિસોદીયાની કરી ધરપકડ
દારુ કૌભાંડમાં ઈડીની કાર્યવાહી
સિસોદીયાની આવતીકાલે યોજાનારી બેલ સુનાવણી પહેલા ઈડી ત્રાટકી છે અને ઈડીએ તિહાડ જેલમાં કેદ સિસોદીયાની 8 કલાકની પૂછપરછ બાદ ધરપકડ કરી લીધી છે. ઈડીએ ધરપકડ કરી હોવાથી જો કદાચ આવતીકાલની સુનાવણીમાં તેમને જામીન મળી જાય તો પણ સિસોદીયા ઈડીની કસ્ટડીમાં રહેશે. સિસોદીયાની ઈડી ધરપકડ પર સીએમ કેજરીવાલે મોટું નિવેદન આપ્યું છે.
मनीष को पहले CBI ने गिरफ़्तार किया। CBI को कोई सबूत नहीं मिला, रेड में कोई पैसा नहीं मिला। कल बेल पर सुनवाई है। कल मनीष छूट जाते। तो आज ED ने गिरफ़्तार कर लिया। इनका एक ही मक़सद है - मनीष को हर हालत में अंदर रखना। रोज़ नये फ़र्ज़ी मामले बनाकर। जनता देख रही है। जनता जवाब देगी
આવતીકાલે છૂટી જાત પણ...
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ધરપકડ અંગે ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી છે. કેજરીવાલે ટ્વિટ કરીને લખ્યું કે મનીષની પહેલા સીબીઆઇએ ધરપકડ કરી હતી. સીબીઆઇને કોઇ પુરાવા મળ્યા નથી, દરોડામાં કોઇ પૈસા પણ મળ્યા નથી. આવતીકાલે જામીન પર સુનાવણી છે. મનીષ આવતીકાલે છૂટી જાત પરંતુ તે પહેલા ઈડી દ્વારા આજે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેમનો એક જ હેતુ છે - કોઈ પણ ભોગે મનીષને અંદર રાખવો. દરરોજ નવા નકલી કેસ બનાવવા. લોકો જોઈ રહ્યા છે. લોકો ચૂંટણીમાં જવાબ આપશે
मनीष सिसोदिया ने जेल से देश के नाम पत्र लिखा-
बीजेपी लोगों को जेल में डालने की राजनीति करती है, हम बच्चों को पढ़ाने की राजनीति कर रहे हैं। जेल भेजना आसान है, बच्चों को पढ़ाना बहुत मुश्किल। राष्ट्र शिक्षा से आगे बढ़ेगा, जेल भेजने से नहीं। pic.twitter.com/qVwOCrVLDR
આવતીકાલે સિસોદીયાના જામીન અરજી પર સુનાવણી
સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઇ બાદ હવે ઇડીએ સિસોદિયા સામે કાર્યવાહી કરી છે. ઇડીની ટીમ તિહાર જેલમાં ઔપચારિક ધરપકડ માટે દસ્તાવેજી કાર્યવાહી કરી રહી છે. મનીષ સિસોદિયાને દિલ્હી દારૂ નીતિ મામલે 26 ફેબ્રુઆરીએ સીબીઆઈએ કસ્ટડીમાં લીધા હતા. ધરપકડ બાદ તેમને પાંચ દિવસ માટે સીબીઆઈની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. વિશેષ ન્યાયાધીશ એમ કે નાગપાલે કેન્દ્રીય એજન્સીને વધુ બે દિવસ માટે રિમાન્ડ પર મોકલ્યા બાદ શનિવારે (4 માર્ચ) તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. 6 માર્ચે થયેલી સુનાવણીમાં કોર્ટે તેને 20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. જ્યારે તેમની જામીન અરજી પર આવતીકાલે એટલે કે શુક્રવારે સુનાવણી થવાની હતી.