અંકલેશ્વરમાં દર્દી માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા ન થતા અંતે કોરોનાના દર્દીને લારી પર લાવવાની ફરજ પડી હતી, CCTV દ્વારા થયો ખુલાસો
ભરૂચના અંકલેશ્વરે સિસ્ટમના દાવાઓની ખોલી પોલ
અંકલેશ્વરમાં દર્દી માટે ન મળી એમ્બ્યુલન્સ
એમ્બ્યુલન્સ ન મળતા લારી પર લાવવો પડ્યો દર્દીને
ભરૂચના અંકલેશ્વરે સિસ્ટમના દાવાઓની પોલ ખોલી છે. અંકલેશ્વરમાં દર્દી માટે એમ્બ્યુલન્સ પણ મળી શકી હતી. આથી દર્દીને લારી પર લાવવો પડ્યો હતો. દર્દીને એક ચાદર પણ ન મળતા પરિવારજને રુદન કર્યુ હતું અને તંત્ર પ્રત્યે રોષ ઠાલવ્યો હતો. સરદાર પટેલ હોસ્પિટલમાં દર્દીને લઇને પરિવાર પહોંચ્યો હતો. તેમજ CCTV ફૂટેજમાં દર્દીની કરૂણ સ્થિતિ સ્પષ્ટ જણાતી હતી.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 8,210 નવા કેસ નોંધાયા છે, તો 82 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજે સાજા થનારનો આંકડો વધુ છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 82 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 9121 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 14,483 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 6,38,590 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ પણ ઘટ્યા અને સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 797 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,04,908 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 2240 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 38 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 482 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 223 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 519 કેસ, જ્યારે ગ્રામ્યમાં 363 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 372 કેસ અને ગ્રામ્યમાં 163 કેસ નોંધાયા છે.ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત....