બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
VTV / Partial relief in corona cases in the country but 14 people died due to the virus
Priyakant
Last Updated: 11:35 AM, 1 May 2023
છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસમાં વધારા બાદ હવે આંશિક રાહત મળી છે. વાત જાણે એમ છે કે, હવે દેશમાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો થયો છે. છેલ્લા 8 દિવસથી દેશમાં 10000થી ઓછા કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં સક્રિય કેસની સંખ્યા 4282 થઈ ગઈ છે. જ્યારે આ દરમિયાન 14 લોકોના મોતના સમાચાર છે. સક્રિય કેસ ઘટીને 47,246 પર આવી ગયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. જણાવી દઈએ કે, હવે દેશમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. હવે કોવિડ-19 ના કેસ 10000 થી ઓછા આવી રહ્યા છે અને આ સિવાય સાજા થયેલા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે, તેથી કોરોનાનો ડર ઓછો થઈ રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં 4282 નવા કેસ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 4282 નવા દર્દીઓ સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલયનાં આંકડાઓ મુજબ સક્રિય કેસની સંખ્યા વિશે વાત કરીએ તો, દેશમાં હાલમાં સક્રિય કેસોની સંખ્યા 47,246 છે. સક્રિય કેસનો દર હવે 0.11 ટકા છે. આ સાથે દૈનિક અને સાપ્તાહિક હકારાત્મકતા દર પણ 5 ટકાથી ઓછો છે.
#COVID19 | India reports 4,282 new cases and 6,037 recoveries in the last 24 hours; the active caseload stands at 47,246.
— ANI (@ANI) May 1, 2023
(Representative image) pic.twitter.com/XO9gWG7Uh0
છેલ્લા 24 કલાકમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 6037 દર્દીઓ સ્વસ્થ થયા છે. સાજા થયેલા દર્દીઓની સંખ્યા નવા કોરોના દર્દીઓની સંખ્યા કરતા વધુ છે. હાલમાં દેશમાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 4,43,70,878 છે. આ સિવાય રિકવરી રેટ પણ 98.71 ટકા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર હવે દેશમાં દૈનિક સકારાત્મકતા દર 4.92 ટકા છે, જ્યારે સાપ્તાહિક સકારાત્મકતા દર 4 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 87038 દર્દીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 92.67 કરોડ દર્દીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army