ભારતે કબૂલ નદી બેસિન પર ડેમ બનાવવામાં અફઘાનિસ્તાન સરકારની મદદ કરવાનો નિર્ણય કર્યો છે. પણ ભારતના આ પગલાથી પાકિસ્તાન નારાજ થયું છે. પાકિસ્તાનનું કહેવું છે કે જો ભારત કાબુલ પાસે શહતૂત ડેમ બનાવશે તો તેનાથી નદીઓના જળ પ્રવાહમાં ઘટાડો થશે.
હકીકતમાં કાબુલ નદી હિંદૂકુશ પર્વતના સંગલાખ ક્ષેત્રથી નિકળે છે અને કાબુલ સુરબી અને જલાલાબાદ થઈને પાકિસ્તાનના ખેબર પખ્તૂનખા ચાલી જાય છે.
ચહર અસિયાબ જિલ્લામાં કાબુલ નદીની એક સહાયક નદી પર શહતૂત ડેમ બનાવવાનો ભારતનો પ્રસ્તાવ છે. પણ પાકિસ્તાન આ પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યુ છે.
ભારતના ડેમ બનાવવાના નિર્ણય બાદ નદીઓની જળ વહેંચણીને લઈ પાકિસ્તાન અફઘાનિસ્તાન પર દબાણ વધારવાનો પ્રયત્ન કરી રહ્યુ છે.
તે કાબુલ અને તેની સહાયક નદીઓની જળ વહેંચણી માટે દ્વિપક્ષીય સંધી પર હસ્તાક્ષર કરવા માટે કહી ચુક્યુ છે. જો કે અફઘાનિસ્તાન સરકારનો તેના પર સકારાત્મક વલણ નથી.
શહતૂત ડેમ બનાવવા પર લગભગ 30 કરોડ ડોલરથી વધારેનો ખર્ચ આવશે એટલે કે લગભગ 21 અરબ રૂપિયા.
અફઘાનિસ્તાનની રાજધાની આસ-પાસ ખેરાબાદ અને ચહર અસિયાબમાં 4 000 હેક્ટર ભૂમિની સિંચાઈ કરવા ઉપરાંત તે કાબૂલના 20 લાખથી વધારે લોકોની તરસ બુઝાવશે.