વડોદરામાં વધુ એક બ્રેઈન ડેડ તબિબે અંગદાન કરીને ચાર લોકોને નવું જીવન આપ્યું છે, રાવપુરાની 24 વર્ષીય તબિબ ઋત્વિ રાવના 4 અંગો ડોનેટ કરાયા બાદ ગ્રીન કોરીડોર તૈયાર કરી અંગોને સુરક્ષિત રીતે અમદાવાદ લઈ જવાયા હતા
વર્તમાન સમયમાં અંગદાન કરનારની સંખ્યાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે વડોદરામાં વધુ એક બ્રેઈન ડેડ તબિબે અંગદાન કરીને ચાર લોકોને નવું જીવન આપ્યું છે. રાવપુરાની 24 વર્ષીય તબિબ ઋત્વિ રાવના 4 અંગો ડોનેટ કરાયા બાદ ગ્રીન કોરીડોર તૈયાર કરી અંગોને સુરક્ષિત રીતે અમદાવાદ લઈ જવાયા હતા..10 દિવસ અગાઉ ડેન્સિસ્ટ તબિબને ટ્રકની ટક્કર સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં તેને સારવાર અર્થે હોસ્પિટલ લાવવામાં આવી હતી. પરતું ડોક્ટરે 10 દિવસ અગાઉ તબિબને બ્રેનડેડ જાહેર કર્યા હતા..
ગ્રીન કોરીડોર તૈયાર કરી અંગો અમદાવાદ લઈ જવાયા
જોકે તબિબ યુવતીએ અગાઉ ઓર્ગન ડોનેટ કરવાની ઈચ્છા વ્યક્ત કરતા પિતાએ બ્રેનડેડ તબિબનો ઓર્ગન ડોનેટ કરવાનો નિર્ણય લીધો હતો..બ્રેનડેડ તબિબના કિડની અને લિવર ડોનેટ કરવામાં આવ્યા હતા.. ઓર્ગન ડોનેટ કર્યા બાદ રેસકોર્સ ખાતેથી માત્ર 12 મિનિટમાં અંગોને દુમાડ ચોકડીથી અમદાવાદ લવાયા હતા ઓર્ગનને અમદાવાદ લાવવા માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ઓર્ગનને લઈ જવા ગ્રીન કોરિડોર ઊભો કરાયો હતો, તબિબના દાન કરાયેલા અંગોથી 4 લોકોને જીવનદાન મળશે.
અમરત્વ તેનાથી વધુ શું હોઇ શકે. ડી.એન.એ.ના રૂપમાં અંગદાન કરનારી વ્યક્તિનું અસ્તિત્વ તેના મૃત્યુ બાદ પણ ટકી રહે છે. તેના અંગમાં રહેલા ડી.એન.એ. એક જનરેશનથી બીજા જનરેશનમાં ચાલ્યા જાય છે. જો તે વ્યક્તિનાં અંગ ચાર-પાંચ લોકોને ટ્રાન્સપ્લાન્ટ થઇ જાય તો આ અમરત્વ વધુ પ્રબળ બની જાય છે. મૃત્યુ પામનારી વ્યક્તિ તે તમામ લોકોમાં પોતાનાં અંગોના રૂપમાં જીવિત રહે છે.
ટ્રાન્સપ્લાન્ટ માટે અંગો મળવા ખૂબ મુશ્કેલ બને છે
વૈજ્ઞાનિકોનું માનવું છે કે શરીર સાથે મળતાં આવતાં કેટલાંક અંગ બનાવવામાં તેમને સફળતા મળી શકે છે, પરંતુ તેમાં હજુ પાંચથી દસ વર્ષનો સમય લાગી શકે છે. તેથી જો કોઇ રોગીનું અંગ કામ કરવાનું બંધ કરી દે છે તો ટ્રાન્સપ્લાન્ટ દ્વારા કોઇ અન્ય વ્યક્તિનું અંગ લગાવીને તેને સ્વસ્થ કરી શકાય છે, પરંતુ હજુ પણ લોકો અંગદાન કરવામાં પાછી પાની કરે છે. તેથી ટ્રાન્સપ્લાન્ટ માટે અંગો મળવા ખૂબ મુશ્કેલ બને છે.
બ્રેઇન ડેડ થયેલી વ્યક્તિ ક્યારેય સાજી થઇ શકતી નથી
આંખોને છોડી બાકીનાં અંગોનું ટ્રાન્સપ્લાન્ટ ત્યારે જ શક્ય બને છે જ્યાં સુધી અંગદાન કરનારી વ્યક્તિના દિલની ધડકન ધડકતી રહે છે ભલે તેના બ્રેઇને કામ કરવાનું બંધ કરી દીધું હોય. જ્યારે શરીરનાં બીજાં અંગો કામ કરી રહ્યાં હોય અને બ્રેઇને કોઇ પણ કારણસર કામ કરવાનું બંધ કરી દીધું હોય અને ફરી તેની કામ કરવાની શક્યતા ન હોય તો વ્યક્તિને બ્રેઇન ડેડ માનવામાં આવે છે. તેનાં ઘણાં કારણ હોઇ શકે છે. માથામાં ગંભીર ઇજા થવી, ટ્યૂમર કે લકવાના કારણે બ્રેઇન ડેડ અને કોમામાં ફરક હોય છે. કોમામાં ગયેલી વ્યક્તિ ક્યારેક નોર્મલ થઇ શકે છે, પરંતુ બ્રેઇન ડેડ થયેલી વ્યક્તિ ક્યારેય સાજી થઇ શકતી નથી. કોમાની સ્થિતિમાં વ્યક્તિના મગજનો થોડો ભાગ કામ કરી રહ્યો હોય છે, જ્યારે બ્રેઇન ડેડમાં નહીં. અંગદાન બ્રેઇન ડેડ વ્યક્તિનું જ થઇ શકે છે, કોમામાં હોય તે દર્દીનું નહીં.
લિવરનો એક નાનકડો ભાગ પણ દાન કરી શકાય
આમ તો અંગદાન કોઇ વ્યક્તિના મૃત્યુ બાદ જ થાય છે, પરંતુ બ્રેઇન ડેડ વ્યક્તિના મૃત્યું બાદ બરાબર જ સમજવામાં આવે છે. જીવિત વ્યક્તિ બેમાંથી પોતાની એક કિડનીનું દાન કરી શકે છે, લિવરનો એક નાનકડો ભાગ પણ દાન કરી શકે છે. મૃત્યુ બાદ સૌથી વધુ દાન આંખોનું થાય છે. અંગદાન કરવા માટે ઉંમરની કોઇ સીમા હોતી નથી, પરંતુ ૧૮ વર્ષથી ૬૫ વર્ષની ઉંમરમા અંગદાન કરવું બહેતર ગણાય છે.
બીમારીથી પીડાતા લોકો અંગદાન કરી શકતા નથી
અંગદાન કરતાં પહેલાં ઘણી બધી વસ્તુઓનું મેચિંગ કરાવાય છે. કિડનીની બાબતમાં એચએલએ, લિવર અને હાર્ટના કેસમાં બ્લડ ગ્રૂપનું મેચિંગ કરાવાય છે. હિપેટાઇિટસ-બી અને સી, એચઆઇવી પોઝિટિવ, સિફલિસ અને રેબીઝ જેવી બીમારીથી પીડાતા લોકો અંગદાન કરી શકતા નથી.અંગદાન કરનાર બ્રેઇન ડેડ વ્યક્તિના શરીરનાં જેટલું જલદી શક્ય હોય તેટલું જલદી અંગો કાઢવાની કોશિશ કરાય છે. અંગો કાઢવા માટે ૬ થી ૧૨ કલાકની અંદર ટ્રાન્સપ્લાન્ટ થઇ જવું જોઇએ, નહીં તો તે અંગ ટ્રાન્સપ્લાન્ટ કરવા યોગ્ય રહેતું નથી.
અમર બનવાનો સાચો રસ્તો તો અંગદાન જ છે
લોકો મૃત્યુ બાદ પણ અમર બનવા ઇચ્છતા હોય છે. આ માટે કેટલાક લોકો સમાધિ, રસ્તા, ઇમારત અને સંસ્થાઓ બનાવે છે. સાર્વજનિક સ્થળો કે પાર્કમાં પોતાની પ્રતિમા લગાવે છે. જૂના જમાનામાં લોકો પોતાના પૂર્વજોના નામથી ધર્મશાળા અને મંદિર બનાવતા હતા. લોકોની ઇચ્છા હોય છે કે તેમના મૃત્યુ બાદ પણ તેમને યાદ રાખવામાં આવે. આ બધું તો ઠીક છે, પરંતુ મૃત્યુ બાદ પણ જીવિત રહેવાનો, અમર બનવાનો સાચો રસ્તો તો અંગદાન જ છે. દુનિયાને યાદ રહેવા માટે લાંબા જીવનની નહીં, પરંતુ પ્રભાવશાળી જીવનની જરૂર હોય છે.