ઓપરેશન ગંગા દ્વારા યુક્રેનમાંથી ભારતીયોને લાવવાનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે. 11 દિવસના યુદ્ધ બાદ અત્યાર સુધીમાં લગભગ 15,920 વિદ્યાર્થીઓને યુક્રેનમાંથી ભારત લવાયા છે.
Under Operation Ganga, so far 76 flights have brought over 15920 Indians back to India. Out of these 76 flights, 13 flights landed in the last 24 hours: Govt of India
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વિટ કરીને જાણકારી આપી
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે ઓપરેશન ગંગા હેઠળ 76 ફ્લાઈટ દ્વારા 15,920 વિદ્યાર્થીઓને ભારત લવાયા છે અને હજુ પણ ભારતીયોને યુક્રેનમાંથી બહાર કાઢવાનું કામ ચાલુ છે.
76 ફ્લાઈટ દ્વારા 15,920 વિદ્યાર્થીઓને ભારત લવાયા
સિંધિયાએ ટ્વિટ કરીને જાણકારી આપી કે કુલ 76 ફ્લાઈટ યુક્રેન મોકલાઈ હતી અને ત્યાંથી 15,920 ભારતીયોને સ્વદેશ લવાયા છે. યુક્રેનના પડોશી દેશો રોમાનિયા, પોલેન્ડ, હંગેરી અને સ્લોવાકિયામાંથી ભારતીયોને લાવવાનું કામ ચાલી રહ્યું છે.
ભારતની યુદ્ધના ધોરણે કામગીરી
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ત્યાં ફસાયેલા તમામ ભારતીયોને ઝડપથી બહાર કાઢવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. તેને 'ઓપરેશન ગંગા' નામ આપવામાં આવ્યું છે.આવી સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ યુદ્ધ પ્રભાવિત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે ચલાવવામાં આવી રહેલા 'ઓપરેશન ગંગા'ની સફળતાનો શ્રેય આપ્યો હતો.પીએમ મોદીએ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ગંગાની સફળતા માટે વૈશ્વિક મંચ પર ભારતના વધતા પ્રભાવને શ્રેય આપ્યો હતો. આપને જણાવી દઈએ કે પીએમ મોદીએ રવિવારે સિમ્બાયોસિસ યુનિવર્સિટીના સુવર્ણ જયંતિ સમારોહનું ઉદ્ઘાટન કર્યા પછી કહ્યું હતું કે, 'અમે ઓપરેશન ગંગા દ્વારા હજારો ભારતીયોને યુદ્ધના ક્ષેત્રમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી રહ્યા છીએ'. સાથે જ તેમણે જણાવ્યું કે, તે ભારતનો વધતો પ્રભાવ છે જેના કારણે યુક્રેનના યુદ્ધ ઝોનમાંથી હજારો વિદ્યાર્થીઓને પાછા લાવવામાં સફળતા હાંસલ થઈ છે.