ગુજરાત કોરોના સામે લડી રહ્યું છે ત્યારે બીજી તરફ વાલીઓ ખાનગી શાળા સંચાલકો સામે લડી રહ્યા છે. ખાનગી શાળાઓ દ્વારા ફી વસૂલવાનો વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે ખાનગી શાળા સંચાલક મંડળે ઓનલાઇન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ હવે વાલીઓએ ચિંતા કરવાની જરૂર નથી. શાળા સંચાલક મંડળના પ્રવક્તા દિપક રાજ્યગુરૂએ ઓનલાઇન શિક્ષણ બંધ નહીં થાય તેવી જાહેરાત કરી છે.
વાલીઓ માટે સૌથી મોટા સમાચાર
VTV પર શાળા સંચાલક મંડળના પ્રવક્તા દિપક રાજ્યગુરુનું મોટું નિવેદન
કોઇનું ઓનલાઇન શિક્ષણ બંધ નહીં થાયઃ દિપક રાજ્યગુરૂ
ગુજરાત સરકારે રાજ્યના વિદ્યાર્થીઓને કોરોનાકાળને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે 25 ટકા ફી માફીની જાહેરાત કરી હતી. તેમ છતા પણ વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે વિવાદ યથાવત્ છે. તેવામાં ખાનગી શાળા સંચાલક મંડળે 10 ડિસેમ્બરથી વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જોકે આજ રોજ(30 ડિસેમ્બર) VTV Newsના કાર્યક્રમ 'મહામંથન'ની ડિબેટમાં શાળા સંચાલક મંડળના પ્રવક્તા દિપક રાજ્યગુરૂએ મોટું નિવેદન આપ્યું છે. રાજ્યગુરૂએ કહ્યું કે, કોઇનું ઓનલાઇન શિક્ષણ બંધ નહીં થાય.
આજે ખાનગી શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખે કરી હતી જાહેરાત
આ અગાઉ આજ રોજ ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. ખાનગી શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખે કહ્યું હતું કે 'વાલીઓ ફી ભરવા મુદ્દે કોઇપણ પ્રકારનો જવાબ આપી રહ્યા નથી.' આ દરમિયાન રાજકોટની સ્વનિર્ભર શાળા-સંચાલક મંડળે ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓનું 10મી ડિસેમ્બરથી ઓનલાઇન શિક્ષણ બંધ કરી દેવાની જાહેરાત કરી હતી.
મહત્વનું છે કે, રાજકોટમાં ખાનગી શાળા સંચાલક મંડળના નિર્ણય સામે વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. ઓનલાઇન શિક્ષણ પણ નહિં લે તે અંગે ફી નહીં ભરવાની વાલીઓએ જાહેરાત કરી હતી.
જ્યારે મહામંથનમાં ઈસુદાન ગઢવી ફી મુદ્દે ભડકી ગયા
લોકડાઉનમાં કેમ દૂધ અને કરિયાણાના ભાવ ન ઘટાડ્યાં એવો સવાલ પૂછાતાં ઈસુદાન ગઢવી ભડક્યાં અને સામે કહ્યું એવો જવાબ આપીશ કે કોઈએ નહીં આપ્યો હોય. શાળા-કોલેજોના સંચાલકોની દાદાગીરી મુદ્દે મહામંથન કાર્યક્રમમાં સેલ્ફ ફાઈનાન્સ કોલેજના પ્રવક્તાએ ચર્ચા દરમ્યાન સવાલ પૂછ્યો હતો કે કેમ સરકારે દૂધ, કરિયાણા જેવી વસ્તુઓના ભાવ ન ઘટાડ્યા અને માત્ર સ્કૂલો-શાળાઓ પર નજર કેમ... ત્યારે VTVના એડિટર ઈસુદાન ગઢવીએ જુઓ શું જવાબ આપ્યો.