રવિવારે પીએમ મોદી અને સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ 19 જૂને સંસદમાં તમામ રાજકીય પક્ષોના અધ્યક્ષો અને 20 જૂને બન્ને સદનોના સભ્યોને સરકાર સાથે વાતચીત કરવા અને વિચારોનું આદાન-પ્રદાન કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
વન નેશન વન ઇલેક્શન મુદ્દે મહત્વની બેઠક યોજાઇ છે. દેશમાં એક સાથે લોકસભાની અને વિધાનસભાની ચૂંટણી યોજવા અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં તમામ રાજકીય પક્ષોને બેઠક માટે આમંત્રણ અપાયું હતું. YSR, BJD, TRSએ બેઠકમાં ભાગ લીધો છે. સાથે NCP અને વામ પક્ષ ભાગ લીધો હતો. કોંગ્રેસે આ બેઠકમાં આવવાથી સ્પષ્ટ મનાઇ કરી દીધી હતી.
તો SP, BSP, TMC પક્ષોએ બેઠકનો બહિષ્કાર કર્યો છે. 14 જેટલી પાર્ટીઓએ બેઠકમાં ભાગ નથી લીધો. જોકે AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પણ આબેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા.
Delhi: Inside visuals of the meeting of heads of political parties in Parliament, under chairmanship of PM Narendra Modi. JDU's Nitish Kumar, NC's Farooq Abdullah, SAD's Sukhbir Singh Badal, BJD's Naveen Patnaik, PDP's Mehbooba Mufti, YSRCP's Jagan Mohan Reddy & others present. pic.twitter.com/KYgEHRjAtv
બીજી તરફ ઓડિસાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું કે તેમની પાર્ટી એક દેશ, એક ચૂંટણીના સમર્થનમાં છે. સાથે YRS કોંગ્રેસના પ્રમુખ જગન મોહન રેડ્ડીની પાર્ટીએ એક દેશ એક ચૂંટણીનું સમર્થન કર્યું છે. પાર્ટીનું કહેવું છે કે આમાં ચૂંટણી ખર્ચ બચશે અને સમય પણ ઓછો લાગશે. બેઠકમાં લોકસભા સાથે 31 વિધાનસભાની ચૂંટણી એક સાથે કરવા વિચારણા ભાર આપવામાં આવશે.
વન નેશન વન ઇલેક્શનનો વિરોધ શા માટે?
દેશમાં એક જ પાર્ટીનું શાસન સ્થપાવાનો ડર
મોટા ભાગના લોકો મત આપતી વખતે એક જ પક્ષની પસંદગી કરી શકે છે
રાષ્ટ્રીય અને પ્રાદેશિક પાર્ટીઓ વચ્ચે મતભેદ વધી શકે છે
નાની અને પ્રાદેશિક પાર્ટીઓને નુકસાનનો ડર
આર્ટિકલ 356નો ખોટો ઉપયોગ થઇ શકે છે
દેશ પર એક રાજકીય પક્ષનું એકચક્રી શાસન સ્થપાઇ શકે છે