કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સંસદની લોક લેખા સમિતિ (પીએસી)ના પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેએ રાફેલ વિમાન ડીલ સાથે જોડાયેલ કોર્ટના નિર્ણયની પૃષ્ઠભૂમિમાં કહ્યું કે તેઓ પીએસીના સભ્યોથી અપિલ કરશે કે અટોર્ની જનરલ અને કેગને બોલાવી પૂછવામાં આવે કે રાફેલ મામલામાં કેનો રિપોર્ટ ક્યારે અને ક્યાં આવ્યો છે.
ખડગેએ આરોપ લગાવ્યો કે સરકારે કોર્ટ સમક્ષ કેગનો રિપોર્ટ તરીકે ખોટી જાણકારી આપવામાં આવી છે જેના કારણે આ ચુકાદો આવ્યો છે. લોકસભામાં કોંગ્રેસના નેતાએ જણાવ્યું કે રાફેલ વિશે સરકારે કોર્ટ સમક્ષ જે વસ્તુઓની ઠીક રીતે રજૂઆત કરી નહોતી.
રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ વિવાદ રોકાયો નથી. કોર્ટે પોતાના નિર્ણયમાં કેન્દ્ર સરકારને ભલે ક્લીનચીટ આપી પણ કોંગ્રેસ કેગના રિપોર્ટને આધાર બનાવીને નિશાન સાધી રહ્યા છે.
PAC એટલે કે પબ્લિક એકાઉન્ટ કમિટીના ચેરમેન મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે સરકારે કેગના રિપોર્ટને લઈને સુપ્રીમ કોર્ટમાં જૂઠ બોલ્યું છે.
જેથી આવામાં કેગ અને એ.જી.ને બોલાવવામાં આવશે. મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે સરકાર જૂઠ બોલી રહી છે. કેગના રિપોર્ટને સંસદમાં અને PAC સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે અને PACએ આ મામલે તપાસ પણ કરી.
હું આ મુદ્દાને PACના અન્ય સભ્યો સામે પણ રજૂ કરીશ. એટર્ની જનરલ અને કેગને બોલાવવમાં આવશે. સરકારે આ મામલે છેતરપિંડી આચરી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયનું અમે સમ્માન કરીએ છીએ પણ આ કોઈ તપાસ એજન્સી નથી.