JEE મેઈન્સ 2021નું પરિણામ જાહેર થયું છે ત્યારે એક અમદાવાદીએ ગુજરાતને ગૌરવ અપાવ્યુ છે અને પરિણામો ટોપ છમાં સ્થાન મેળવ્યુ છે.
JEE મેઈન્સ 2021નું પહેલા સેશનનું પરિણામ જાહેર
દેશમાં 6 વિદ્યાર્થીઓએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા
અમદાવાદના અનંથ કિદામ્બીનો ટોપ-6માં સમાવેશ
JEE મેઇન્સ-2021નું પરિણામ જાહેર થયુ છે. 6.5 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. દેશમાં 6 વિદ્યાર્થીઓએ 100 પરસેન્ટાઇનલ માર્ક્સ મેળવ્યા છે જેમાં અમદાવાદના અનંથ કીદામ્બીએ ટોપ-6માં સ્થાન મેળવ્યુ છે. અનંથ 100માંથી પરસેન્ટાઇલ માર્ક્સ મેળવ્યા છે.
શું કહે છે અનંથ
આખા ભારતમાંથી 6 વિદ્યાર્થીઓએ 100માંથી 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. ત્યારે અનંથ કહે છે કે, રોજ 10 કલાક ભણતો હતો અને શિક્ષકોએ જે શીખવ્યુ જે સમજાવ્યું મે તે કર્યુ અને મને સફળતા મળી. હું દરેક વિદ્યાર્થીને એ જ સલાહ આપુ છું કે તમે તમારા શિક્ષક પર ભરોસો રાખો અને તેમણે કહેલી તમામ વાતોનું ધ્યાન રાખો જરૂર સફળ થશો.
છેલ્લા ફેઝની પરીક્ષામાં મેમાં આયોજીત કરવામાં આવશે
ફેબ્રુઆરી સેશનમાં સામેલ થયેલા 6.5 લાખ ઉમેદવાર માટે સ્કોરકાર્ડ jeemain.nic.in પર જાહેર કરી દેવામાં આવ્યું છે. હજું ઉમેદવારોની ઑલ ઇન્ડિયા રેન્ક જાહેર નથી કરવામાં આવી. વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા રેન્ક તમામ 4 ફેઝની પરીક્ષા બાદ જાહેર કરવામાં આવશે. છેલ્લા ફેઝની પરીક્ષામાં મેમાં આયોજીત કરવામાં આવશે.
સત્તાવાર વેબસાઇટના હોમપેજ પર સ્કોરકાર્ડ ચેક કરવાની લિંક લાઇવ છે. પરીક્ષામાં સામેલ થયેલા વિદ્યાર્થી આ લિંક પર જઇને લોગિન પેજ પર માંગવામાં આવેલી ડિટેઇલ્સ દાખલ કરી લોગિન કરો. પોતાના એપ્લિકેશન નંબર અને ડેટ ઑફ બર્થની માહિતી દાખલ કરી સબ્મિટ કરે અને સ્કોરકાર્ડ સ્ક્રીન પર નજર આવી જશે. વિદ્યાર્થીઓ પોતાની પાસે ડાઉનલોડ કરી શકે છે.
જણાવી દઇએ કે, પરીક્ષા આ વર્ષે કોરોના સંક્રમણના કારણે પૈદા થયેલી સ્થિતિઓના કારણે 4 વખત આયોજિત કરવામાં આવી રહી છે. આગામી સેશન માર્ચ, ફરી એપ્રિલ અને મે મહિનામાં આયોજિત કરવામાં આવશે. વિદ્યાર્થી તમામ સેશન્સમાં પરીક્ષા આપી શકે છે અને બેસ્ટ સ્કોરના આધારે જ ઓલ ઇન્ડિયા રેન્કની તૈયારી કરવામાં આવશે. જે કેન્ડિડેટ્સ JEE Main પરીક્ષામાં ક્વોલિફાઈ થશે, તેઓ 3 જુલાઈએ થવા જઇ રહેલી JEE Advanced પરીક્ષામાં સામેલ થવા માટે પણ યોગ્ય હશે. અન્ય તમામ માહિતીઓ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે.