ઇન્સ્ટન્ટ મેસેન્જર એપ વોટ્સએપએ ભારત બાદ પૂરી દુનિયાના ગ્રાહકો માટે એક મેસેજ પાંચ લોકોને મોકલવાની સીમા નક્કી કરી લીધી છે. મેસેન્જર એપએ જુલાઇમાં ભારતીય ગ્રાહકો માટે આ સીમા નિર્ધારિત કરી હતી કારણ કે અફવાઓ અને ખોટા સમાચારના પ્રસાર પર લગામ લાગી શકે.
ફેસબુકના સામિત્વ વાળી કંપની સોમવારે એક બ્લોગમાં લખ્યું છે કે એનાથી વોટ્સએપ ગ્રાહકો કોઇ મેસેજને પોતાના નજીકના લોકોને મોકલશે. એપના નવા વર્ઝનની નવી સીમા પ્રમાણે અપડેટ કરી દીધી છે. પહેલા વોટ્સએપ ગ્રાહકો એક મેસેજ 20 લોકોને મોકલી શકતા હતા. દુનિયાભરમાં વોટ્સએપના 1.5 અરબ ગ્રાહકો છેય એમાં સૌથી વધારે યૂઝર્સ ભારત બ્રાઝીલ અને ઇન્ડોનેશિયામાં છે.
વોટ્સએપએ જણાવ્યું કે સીમા નક્કી કર્યા બાદ પરીક્ષણ અવધિ દરમિયાન મેસેજ ફોરવર્ડ કરવાની સંખ્યામાં 25 ટકા ઘટાડો જોવા મળ્યો છે. નોંધનીય છે કે ભારત સરકારે અફવાઓ અને ખોટા સમાચાર ફેલાવવાને લઇને કંપનીને ખૂબ જ ફટકાર લગાવ્યો હતો. સાથે જ કડક પગલા નહીં ઊઠાવવા પર કડક કાર્યવાહીની ચેતવણી પણ આપી હતી.