રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા નવ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે પશ્ચિમી દેશો સંપૂર્ણપણે રશિયા વિરૂદ્ધ છે અને તેમણે અનેક પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે.
ભારતે અત્યાર સુધી વૈશ્વિક મંચ પર રશિયાની નિંદા કરવાનું ટાળ્યું છે
છેલ્લા નવ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે
અન્ય લોકોની માંગણીઓને ધ્યાને રાખીને વિદેશ નિતી નથી ચલાવી રહ્યોઃ એસ.જયશંકર
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા નવ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. જ્યાં પશ્ચિમી દેશો સંપૂર્ણપણે રશિયા વિરૂદ્ધ છે અને તેમણે અનેક પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે. ત્યાં ભારતનું વલણ તટસ્થ રહ્યું છે. પશ્રિમી દેશોએ પણ આ અંગે અનેકવાર સવાલો ઉઠાવ્યા છે. હવે વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારતના તટસ્થ વલણને યોગ્ય ઠેરવતા કહ્યું છે કે અમે અન્ય લોકોની માંગણીઓ માટે દેશની વિદેશ નીતિ નથી ચલાવી રહ્યા.
હું અન્ય લોકોની માંગણીઓને ધ્યાને રાખીને વિદેશ નિતિ નથી ચલાવી રહ્યોઃવિદેશ મંત્રી
વિદેશ મંત્રીએ કહ્યું કે હું અન્ય લોકોની માંગણીઓને ધ્યાને રાખીને વિદેશ નિતિ નથી ચલાવી રહ્યો. મારી વિદેશ નિતિ મારા દેશ અને મારા લોકોનાં હિતમાં છે. અમે ઈચ્છીએ છીએ કે યુદ્ધ સમાપ્ત થાય. મને લાગે છે કે તે કરવું યોગ્ય છે. જો કે મેં અમેરિકાએ જે કર્યું તેવું કર્યું હોત તો હું મારા સહિત કોઈને પણ ફાયદો ન થયો હોત.
વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે વડા પ્રધાન મોદી ચીનના મુદ્દાને લઈને મક્કમ છે અને ચીન-ભારત સરહદ પર આપણા સશસ્ત્ર દળોની મજબૂત તૈનાતીના આધારે તેમનો નિર્ણય કરવો જોઈએ. જયશંકરે ઈન્ડોનેશિયાના બાલીમાં તાજેતરમાં જ જી 20 સમિય દરમ્યાન વડાપ્રધાને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીગ સાથે હાથ મિલાવવાની વિપક્ષની ટીકાને ફગાવી દીધી હતી. જયશંકરે વધુમાં કહ્યું કે વડાપ્રધાન મોદી ચીન સાથે વ્યવહારમાં વાસ્તવિકતા એ છે કે આ દેશ વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને ભારતનો સૌથી નજીકનો પાડોશી છે. પરંતું તે જ સમયે આ દેશ સાથે અમારો મુશ્કેલ ઈતિહાસ છે. જે સંઘર્ષો અને વિશાળ સરહદ વિવાદ જોડાયેલો છે.