હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસને લઈ આગાહી કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે આગીમી 24 કલાકમાં 2-3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. જ્યારે બે દિવસ પવન ફૂંકાવાથી ઠંડીનો ચમકારો યથાવત રહેશે.
ફરી એકવાર ઠંડીમાં ઠૂંઠવાશે ગુજરાત
રાજ્યમાં આવતીકાલથી ઉત્તર પૂર્વીય પવન ફૂંકાવાથી ઠંડી વધશે
અમદાવાદમાં 16 ડિગ્રી, અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં એક તરફ વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. તો બીજી તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. તેમજ હાલમાં લગ્નસરાની મૌસમ પણ ચાલતી હોઈ લગ્ન સમયે વરસાદ પડતા જોનૈયાઓ મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા હતા.
આગામી પાંચ દિવસને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી
આગામી પાંચ દિવસને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં 2-3 ડિગ્રી ઘટી શકે છે. સૌરાષ્ટ્રમાં તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય તેવી હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી બે દિવસ પવન ફૂંકાવવાથી ઠંડીનો ચમકારો વધવાની સંભાવના છે. જેમાં અમદાવાદમાં 16 ડિગ્રી અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે નલિયામાં સૌથી ઓછું 6.8 તાપમાન નોંધાયું.
રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે
ઉત્તર ભારતમાં સર્જાયેલ હવામાનના પલ્ટાના કારણે પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત રાજસ્થાનમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે હવામાન વિભાગે કરેલ આગાહી મુજબ હજુ પણ રાજ્યના કેટલાક અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાઈ શકે છે.
જીરૂ સહિતના અનેક પાકોને ભારે નુકશાન
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પડતા પર પાટુ જેવો હાલ થવા પામ્યો છે. કમોસમી વરસાદ પડવાથી ખેતરમાં રહેલ શિયાળુ પાકને ભારે નુકશાન પહોંચવા પામ્યું હતું. કરા સાથે કમોસમી વરસાદ પડવાથી જીરૂ સહિતના અનેક પાકોને ભારે નુકશાન પહોંચવા પામ્યું હતું. 2 લાખ 57 હજાર હેક્ટર વિસ્તારમાં જીરૂનું વાવેતર
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે લોકો ડબલ ઋતુનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે કૃષિ વિભાગ દ્વારા જ્યાં માવઠું પડ્યું તે વિસ્તારોમાંથી નુકશાનીનો રિપોર્ટ મંગાવ્યો છે. હજુ પણ કેટલાક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જગતનો તાત ચિંતીત બન્યો છે. જીલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા વાતાવરણ ચોખ્ખુ થાય ત્યારે રિપોર્ટ મોકલવાનો રહેશે. રાજ્યમાં 2 લાખ 57 હજાર હેક્ટર વિસ્તારમાં જીરૂનું વાવેતર કરેલ છે. અન્ય પાકોમાં નુકશાનીનો રિપોર્ટ પણ આપવો પડશે.