હવે કોન્ક્રીટને બદલે ટાયર અને પ્લાસ્ટિકનાં રસ્તાઓ બનશે, તેવું નીતિન ગડકરીએ એલાન કર્યું છે. જાણો વિગતવાર
હવે કોન્ક્રીટને બદલે ટાયર અને પ્લાસ્ટિકથી બનશે રસ્તાઓ
સ્ક્રેપેજ પોલિસીને બધા જ રાજ્યોમાં લાગૂ કરવામાં આવશે
નીતિન ગડકરીનું મોટું એલાન
હવે કોન્ક્રીટને બદલે ટાયર અને પ્લાસ્ટિકથી બનશે રસ્તાઓ
જો તમે આવનાર થોડા વર્ષોમાં કોન્ક્રીટને બદલે ટાયર અને પ્લાસ્ટિક મળીને રસ્તા બનતા જોશો, તો તેમાં કોઈ આશ્ચર્ય નથી. આ હવે હકીકતે બનશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે આવનાર દિવસોમાં સરકારની યોજના દેશના દરેક જીલ્લામાં બેથી ત્રણ સ્ક્રેપિંગ સેંટર ખોલવાની છે.
તેમણે આ વાત હરિયાણાનાં નૂંહમાં વેહીકલ્સ સ્ક્રેપિંગ સેંટરનાં ઉદ્ધાટનનાં અવસર પર કહી છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું છે કે વાહનોનાં મળતા કચરાનાં અમુક હિસ્સાનો ઉપયોગ રસ્તાનાં નિર્માણમાં કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે આમ પ્રદુષણ ઓછુ થશે. ઓછા ખર્ચે આ ક્ષેત્રમાં ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે.
નવી કારની ડિમાન્ડ વધશે
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સ્ક્રેપેજ પોલિસી લાગૂ થવાથી બેકાર થઇ ગયેલા વાહનોને બહાર કરવામાં આવશે. સરકારનો પ્લાન છે કે આમ કરવાથી નવી કારની ડિમાન્ડ વધશે અને ઓટો સેક્ટરને પ્રોત્સાહન મળશે. નીતિન ગડકરીએ કહ્યું કે આવનાર દિવસોમાં સ્ક્રેપ પોલિસીને દેશનાં દરેક જીલ્લામાં લાગૂ કરવામાં આવશે. જોકે તેમણે આ નથી જણાવ્યું કે આ પ્રકારના સેન્ટર ક્યાર સુધીમાં સ્થાપિત કરવામાં આવશે.
10 હજાર કરોડનું રોકાણ કરવામાં આવશે
તેમણે કહ્યું કે જુના ટાયરોથી રસ્તાનાં નિર્માણથી લઈને પર્યાવરણ મંત્રાલય સાથે પણ વાત થઇ છે. આ માટે જુના ટાયરોની આયાત પણ કરવામાં આવશે. એક અનુમાન અનુસાર, સરકારની સ્ક્રેપેજ પોલિસીથી દેશમાં 10 હજાર કરોડનું રોકાણ લાવી શકાય છે, જેથી આવનાર સમયમાં રોજગાર પેદા થઇ શકે છે.
મોટી સંખ્યામાં રોજગાર પેદા થશે
ગડકરીએ કહ્યું કે આનો સૌથી મોટો ફાયદો એ થશે કે તાંબા, એલ્યુમીનીયમ, રબર, પ્લાસ્ટિક સરળતાથી પ્રાપ્ત થશે. તેમણે કહ્યું કે વેહીકલ્સ સેક્ટર દેશમાં કરોડો લોકોને રોજગાર આપી રહ્યું છે. તેમણે વર્ષ 2024નાં અંત સુધીમ આ નવી વાહન નીતિથી મોટી સંખ્યામાં રોજગાર ઉભો થવાની સંભાવના જતાવી. તેમણે કહ્યું કે નવી વાહન નીતિ પર્યાવરણ માટે પણ મુખ્ય ભૂમિકા ભજવશે.
પોલિસી હેઠળ શું થશે?
સ્ક્રેપેજ પોલિસી હેઠળ એક નક્કી સીમા પછી પણ બધા વાહનોનો ફિટનેસ ટેસ્ટ કરવામાં આવશે. ફિટનેસ સંબંધી માપદંડો પૂરા થયા બાદ રી રજીસ્ટ્રેશન થશે. રી રજીસ્ટ્રેશનના દર 5 વર્ષ બાદ વેહિકલનો ટેસ્ટ થશે. જે વાહન માલિક પોતાની મરજીથી વેહિકલની રિસાયકલીંગ કરવા માંગે છે, તેમને નવા વાહન ખરીદવા પર છૂટ મળશે.