નિર્ભયા રેપ કાંડમાં સજાનું એલાન તો થઇ ચૂક્યું છે પરંતુ દોષિતો તરફથી સતત અરજીઓ દાખલ કરવામાં આવી રહી છે. બુધવારે દિલ્હી હાઇકોર્ટમાં દોષિત મુકેશ કુમારની અરજી પર સુનાવણી થઇ, આ દરમિયાન કોર્ટે મુકેશના વકીલને પટિયાલા હાઉસ કોર્ટ જવા કહ્યું છે. એટલે કે હાઇકોર્ટમાં મુકેશની અરજી પર સુનાવણી નહીં થાય.
દિલ્હી હાઇકોર્ટમાં દોષિત મુકેશ કુમારની અરજી પર સુનાવણી કરાઇ છે
આ દરમિયાન કોર્ટે મુકેશના વકીલને પટિયાલા હાઉસ કોર્ટ જવા કહ્યું છે
દિલ્હીની એક ટ્રાયલ કોર્ટે 7 જાન્યુઆરીએ નિર્ભયાના ચારેય દોષિતોનું ડેથ વોરન્ટ જાહેર કર્યું હતું
આ અરજીમાં મુકેશની તરફથી ટ્રાયલ કોર્ટ તરફથી જાહેર ડેથ વોરન્ટની વિરુદ્ધ અપીલ કરી હતી. બુધવારે સુનાવણી દરમિયાન વકીલ તરફથી કહેવામાં આવ્યું કે, 7 જાન્યુઆરીએ જ્યારે ટ્રાયલ કોર્ટે ફાંસીનો આદેશ જાહેર કર્યો તો ત્યારે તેમને ક્યૂરેટિવ પિટિશન વિશે કોઇ જાણકારી નહોતી. આ કારણે હવે સ્થિતિ પૂર્ણ રીતે બદલાઇ ચૂકી છે.
તેના પર હાઇકોર્ટે વકીલને કહ્યું કે જો આ મામલો છે તો આપને હાઇકોર્ટમાં અરજી દાખલ ન કરવી જોઇએ, પરંતુ ટ્રાયલ કોર્ટની પાસે જ જવુ જોઇએ. ટ્રાયલ કોર્ટ બાદ આપ અહીં નહીં પરંતુ સીધા સુપ્રીમ કોર્ટ જાઓે.
નોંધનીય છે કે, દિલ્હીની એક ટ્રાયલ કોર્ટે 7 જાન્યુઆરીએ નિર્ભયાના ચારેય દોષિતોનું ડેથ વોરન્ટ જાહેર કર્યું હતું. આ વોરંટની વિરુદ્ધ દોષિત મુકેશના વકીલોની તરફથી અરજી દાખલ કરવામાં આવી હતી અને તેને ટાળવાની વાત કરવામાં આવી હતી. ટ્રાયલ કોર્ટે જ્યારે ડેથ વોરંટ જાહેર કર્યું હતું, ત્યારે દોષિત મુકેશની તરફથી દયા અરજી અથવા ક્યૂરેટિવ અરજી દાખલ કરવામાં આવી નહોતી.
મુકેશના વકીલ તરફથી હાઇકોર્ટમાં તર્ક કરવામાં આવ્યો કે તેઓ ટ્રાયલ કોર્ટના આદેશને ચેલેન્જ કરી રહ્યા નથી, પરંતુ એ તર્ક આપી રહ્યા છે કે આ નિર્ણય હાલ લાગૂ થઇ શકે નહીં. કેમકે હવે સ્થિતિ બદલાઇ ચૂકી છે.
શું ટાળવામાં આવશે દોષિતોની ફાંસી?
ટ્રાયલ કોર્ટ દ્વારા જે ડેથ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું, તેના અનુસાર નિર્ભયાના ચારેય દોષિતોને 22 જાન્યુઆરીની સવારે 7 વાગ્યે ફાંસી આપવાની છે. પરંતુ હાઇકોર્ટમાં મુકેશના વકીલની તરફ કહેવામાં આવ્યું છે કે તેની દયા અરજી હાલ રાષ્ટ્રપતિની પાસે લંબિત છે, તેથી ડેથ વોરંટને રદ્દ કરવામાં આવવી જોઇએ.
હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન દિલ્હી એએસજી અને દિલ્હી સરકારના વકીલે કહ્યું કે નિર્ભયાના દોષિતોને 22 જાન્યુઆરીએ ફાંસી આપવામાં આવી શકાય નહીં. રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી પર નિર્ણય આપ્યા બાદ દોષિતોને 14 દિવસનો સમય આપવો પડશે.