મુસ્લિમ સમુદાયનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે .ત્યારે બનાસકાંઠાના એક બુઝુર્ગ છેલ્લા 45 વર્ષથી રોઝા રાખીને ખુદાની અનોખી બંદગી કરે છે.
નાદીર ચાચા 30વર્ષની ઉંમરથી સતત આજદિન સુધી રોઝા રાખી અનોખી બંદગી કરે છે. હાલ નાદીર ચાચા પાલનપુરમાં ઘડિયાળ રીપેરીંગનું કામ કરે છે. તેમજ આજે પણ સંપૂર્ણ સ્વસ્થ છે.
જેની પાછળ તે રોઝાને કારણભૂત ગણાવે છે. નાદીરચાચા 1970થી આજદિન સુધી રમઝાન માસ હોય કે ના હોય પણ નાદીર ચાચા માટે તો હર દિન રમઝાન હર દિન રોઝા બની ગયો છે.