રાજદ્રોહ કેસમાં જેલમાં બંધ હાર્દિક પટેલની જામીન અરજીની સુનાવણી હાઇકોર્ટમાં હાથ ધરવામાં આવી હતી. જેમાં હાર્દિકે શાન્તિ પૂર્ણ વાતારણમાં આંદોલન કરવાની બાહેધરી આપી હતી. જે કોર્ટે ના મંજૂર કરી છે અને વધુ સુનાવણી 9ની જૂને હાથ ધરવાનો આદેશ આપ્યો છે.
બીજીબાજુ મહેસાણામાં પાટીદાર દ્વારા જેલભરો આંદોલન કેસની સુનાવણી ટળી છે. વધુ સુનાવણી 9મીના રોજ હાથ ધરવામાં આવશે. મહત્વનું છે કે મહેસાણામાં જેલભરો આંદોલન હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના પગલે 21 આરોપીઓ વિરુધ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. નરેદ્ર પટેલ સહિત 21 આરોપીને કોર્ટમાં રજૂ કરાયા હતા જેની સુનાવણી ટળી છે.