અમદાવાદના ગીતામંદિર એસ.ટી.બસ ડેપોમાં બસમાં વાલીએ પોતાની અઢી વર્ષની બાળકીને તરછોડી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બાળકી અપંગ હોવાથી વાલીઓએ બાળકીને તરછોડી હોવાનું મનાઈ રહ્યુ છે.
અમદાવાદથી પોરબંદર જતી બસમાં અઢી વર્ષની અપંગ બાળકી મળી આવી હતી. બપોરના સમયે અમદાવાદ ડેપોમાં બસ આવી ત્યારે કંડક્ટર અને ડ્રાઈવરને અજાણી બાળકી પર ધ્યાન આવ્યું હતુ. બાદમાં કંડક્ટરે તુરંત જ પોલીસને સંપર્ક કરીને પોલીસને સોંપી હતી.
અપંગ બાળકીને પોલીસે ચાઈલ્ડ હેલ્પ લાઈનથી સંપર્ક કર્યા બાદ બાળકીને મહિપત આશ્રમ ખાતે લઈ જવાઈ હતી. જયા બાળકીના માતા પિતાની ભાળ મેળવવા માટે કવાયત હાથ ધરાઈ છે.
મા બાપના કુકર્મોને લઈને બાળકોને આજીવન યાતનાઓ ભોગવવાનો વારો આવે છે. ક્યારેક અનૈતિક તમેજ અપંગ બાળકોથી છુટકારો મેળવવા માટે લાવારીસ મુકી જતા હોય છે. ત્યારે સરકાર આવા વાલીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે તેવી લોકો માગ કરી રહ્યા છે.