બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / Nehru, Patel, Dr Ambedkar were opposed to Delhi being given the status of a full state: Amit Shah
Hiralal
Last Updated: 03:19 PM, 3 August 2023
#WATCH | Pt Jawaharlal Nehru, Sardar Patel, Rajaji, Rajendra Prasad and Dr Ambedkar were opposed to Delhi being given the status of a full state: Union Home Minister Amit Shah on Government of National Capital Territory of Delhi (Amendment) Bill, 2023, in Lok Sabha pic.twitter.com/4sWWatQJko
— ANI (@ANI) August 3, 2023
ગુરુવારે સંસદમાં દિલ્હી સર્વિસ બિલ પર જોરદાર ચર્ચા થઈ હતી. લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, દિલ્હી પાસે ન તો પૂર્ણ રાજ્યનો દરજ્જો છે કે ન તો તે સંપૂર્ણ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. તેમણે દિલ્હીના ઇતિહાસનો ઉલ્લેખ કરતા પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, બંધારણના ઘડવૈયા ભીમરાવ આંબેડકર અને પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આ નેતાઓએ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો વિરોધ કર્યો હતો અને તેથી જ આજે તે આ સ્વરૂપમાં છે. અમિત શાહે કહ્યું હતું કે 1911માં અંગ્રેજોએ મેહરૌલી અને દિલ્હી તહેસીલોનું વિલિનીકરણ કરીને રચના કરી હતી. તેને પંજાબમાંથી કોતરવામાં આવ્યું હતું.
દિલ્હી મામલે આંબેડકરે શું કહ્યું હતું- સમજાવ્યું અમિત શાહે
આ પછી પટ્ટાભી સીતારામૈયાએ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગણી કરી હતી. પરંતુ પંડિત નહેરુ, સરદાર પટેલ, રાજેન્દ્ર પ્રસાદ અને આંબેડકરજીએ તેનો વિરોધ કર્યો. અમિત શાહે કહ્યું કે નહેરુએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે સીતારામૈયા સમિતિની ભલામણોને સ્વીકારી શકાય નહીં. તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં ત્રણ ચતુર્થાંશ સંપત્તિ કેન્દ્ર સરકાર હેઠળ છે. આવી સ્થિતિમાં, તેને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપી શકાતો નથી. આંબેડકરે એમ પણ કહ્યું હતું કે ભારતની રાજધાનીમાં કોઈ પણ સ્થાનિક વહીવટી તંત્રને મફત અધિકાર આપી શકાય નહીં.
"I appeal to the opposition MPs to think about Delhi not their alliance..." says Union Home Minister Amit Shah in Lok Sabha on Delhi Services Bill in Lok Sabha. pic.twitter.com/EyQtcIfLNy
— ANI (@ANI) August 3, 2023
કેન્દ્રમાં કોંગ્રેસ-ભાજપ બન્નેની સરકારો પણ વિવાદ 2015માં થયો હતો
અમિત શાહે કહ્યું કે દિલ્હીમાં વિધાનસભાની શરૂઆત 1993માં થઈ હતી. ત્યારથી કેન્દ્રમાં કોંગ્રેસ અને ભાજપ બંનેની સરકારો અને અલગ સરકારો રહી છે. તેમ છતાં બંને વચ્ચે કોઈ વિવાદ થયો ન હતો. આ વિવાદ વાસ્તવમાં 2015માં શરૂ થયો હતો. આ વિવાદ અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ રાઈટ્સનો નથી, પરંતુ વિજિલન્સ સંભાળીને બંગલા પર થયેલા ખર્ચને છુપાવવાનો છે. અમિત શાહે આ સમયગાળા દરમિયાન કોંગ્રેસ સહિત વિપક્ષી દળોના સમર્થનની અપીલ પણ કરી હતી.
બિલનું સમર્થન કર્યા પછી પણ આપ કોંગ્રેસને સમર્થન નહીં આપે
અમિત શાહે કહ્યું કે કેટલાક લોકો નવા ગઠબંધન બનાવવા માટે આ બિલનો વિરોધ કરી રહ્યા છે. હું કોંગ્રેસને કહેવા માંગુ છું કે ભલે તેઓ આ બિલનો વિરોધ કરે પરંતુ આમ આદમી પાર્ટી લોકસભા ચૂંટણીમાં તેનું સમર્થન નહીં કરે. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, "મને ખુશી છે કે અમિત શાહે જવાહરલાલ નહેરુના વખાણ કર્યા. મારુ તો મન થાય છે કે હું તેમના મોંમાં ઘી અને ખાંડ મુકું. આના પર અમિત શાહે કહ્યું કે મેં નહેરુજીના વખાણ નથી કર્યા પરંતુ અહીં તેમણે જે કહ્યું હતું તેનો ઉલ્લેખ કર્યો હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army