ગુજરાત ટાઈટન્સ ટીમે આઇપીએલમાં એક નવી ટીમ તરીકે જ એન્ટ્રી કરી હતી. એમાં કોચ આશિષ નહેરા અને કપ્તાન હાર્દિક પંડયાને સહારે ટીમે આ વર્ષનો આઇપીએલ ખિતાબ ગુજરાતના નામે કર્યો છે.
ગુજરાતના કોચ અને કેપ્ટને મળીને જીતવ્યો IPL ખિતાબ
ભારતના પહેલા એવા કોચ જેને ખિતાબ મળવામાં સફળતા મળી
ત્રીજા એવા કોચ જે ખેલાડી પણ રહી ચુક્યા છે
ગુજરતના કોચ આશિષ નહેરાને મળી પ્રથમ વખતમાં જ સફળતા
આઇપીએલ 2022 સીઝનમાં ગુજરાત એક નવી જ ટીમ હતી અને પોતાના શાનદાર પ્રદર્શનથી લોકોને ચોંકાવી દીધા હતા. ટીમની કપ્તાની હાર્દિક પંડયા એ કરી હતી અને કોચિંગ આશિષ નહેરએ સંભાળી હતી. આ બધામાં સૌથી મોટી વાત એ હતી કે નેહરાએ ખિતાબ જીતીને ઇતિહાસ બનાવી દીધો છે. આઇપીએલમાં આજ સુધી જે કોઈ પણ નથી કરી શક્યું એ આશિષ નહેરાએ કરી બતાવ્યું છે. ભારતના પહેલા ભારતીય કોચ બન્યા છે જેણે IPL જીતવી છે.
વિશ્વાસ નહોતો કે ખિતાબ પોતાના નામે થઇ જશે
અનિલ કુંબલે અગાઉ મેન્ટર તરીકે બે વખત આઇપીએલનો ખિતાબ પણ જીતવી ચુક્યા છે, પણ તે સમયે તે ટીમના કોચ નહતા. અનિલ કુંબલે 2013 અને 2015ની સિઝનમાં મુંબઈની ટીમના મેન્ટર રહ્યા હતાં. ત્યારે મુંબઈ ઈન્ડિયન્સે આ ખિતાબ જીત્યો હતો. મેચ જીત્યા બાદ હાર્દિક પંડ્યાએ પણ આ વાત કહી હતી, પરંતુ નેહરાને આ વાત પર વિશ્વાસ નહોતો આવતો. એટલે કે નેહરાને ખબર પણ નહોતી ખબર કે તેણે આટલો મોટો ઇતિહાસ રચ્યો .મેચ બાદ મેદાન પર વાત કરતા હાર્દિકે નેહરાને કહ્યું હતું કે, "તમને કેવું લાગે છે? તમે આઈપીએલ ટ્રોફી ઉપાડનારા પ્રથમ ભારતીય કોચ છો."
Emotions, insights & a recap of the maiden IPL triumph in their maiden IPL season! ☺️ 🏆
આ અંગે નેહરાએ કહ્યું કે મને આ વાતની ખબર નથી, પરંતુ આ એક સંયોગ છે. પરંતુ ફીલિંગ સારી છે કારણ કે તમારી કેપ્ટનશીપ હેઠળ ટીમે સારું પ્રદર્શન કર્યું છે. અને આ બધું આટલું આસન પણ નહતું. નેહરા હવે ખેલાડી તેમજ કોચ તરીકેની સાથે સાથે આઈપીએલનો ખિતાબ જીતનારો ત્રીજા ખેલાડી પણ બની ગયા છે. તેના પહેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ અને શેન વોર્નનું નામ છે