ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન એન.ડી.તિવારીના દિકરાના થયેલ સંદિગ્ધ મોત મામલે તાજેતરમાં આવેલ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એક મોટો ખુલાસો થવા પામ્યો હતો. રિપોર્ટમાં થયેલ ખુલાસા મુજબ શેખર તિવારીનું મોત અકુદરતી રીતે થયું છે.
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન એન.ડી.તિવારીના દિકરાના થયેલ સંદિગ્ધ મોત મામલે તાજેતરમાં આવેલ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એક મોટો ખુલાસો થવા પામ્યો હતો. રિપોર્ટમાં થયેલ ખુલાસા મુજબ શેખર તિવારીનું મોત અકુદરતી રીતે થયું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયેલ આ બાબત બાદ દિલ્હી પોલીસે સમગ્ર મામલાની તપાસ ક્રાઇમ બ્રાચને સોંપવામાં આવી છે. આ સાથે ભારતીય દંડ સંહિતાની કલમ 302 મુજબ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
#UPDATE Delhi Police: Postmortem report of late ND Tiwari's son Rohit Shekhar Tiwari reveals 'unnatural death'. Case registered under section 302 of the IPC (murder case) against unknown persons. https://t.co/RI3AMT7KW1
આ મામલે મળતી વધુ જાણકારી મુજબ આજરોજ ક્રાઇમ બ્રાચની એક ટિમ અને ઉચ્ચ અધિકારીઓ ડિફેન્સ કોલોની સ્થિત રોહિતના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. જ્યાં તમણે રોહિતના ઘરના તપાસ હાથ ધરી હતી અને મોત અંગે જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ઉત્તર પ્રદેશ તથા ઉત્તરખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પદે રહેલા નારાયણ દત્ત તિવારીના પુત્ર રોહિત શેખર તિવારીનું મંગળવારની મોડી સાંજે નિધન થયું હતું.
રોહિત શેખર તિવારીનું નિધન હ્રદય બંધ થઇ જવાને કારણે થયું હતું. જો કે, આ પહેલા તેમની તબિયત નાદુરસ્ત થતાં તેમને ઇલાજ માટે મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. જ્યાં તેમને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.