નવસારીમાં અમાસને પગલે દરિયામાં ભરતી આવી હતી. એક તરફ વરસાદે અને બીજી તરફ ભરતી આવતા દરિયાઈ વિસ્તારની આસપાસના ગામોમાં પાણી ઘૂસ્યા હતુ. દરિયાનું તોફાની પાણી ગામમાં ઘૂસતા લોકો પરેશાન થયા હતા.
થોડી જ વારમાં દરિયાઈ પાણી આખા ગામમાં ફરી વળ્યુ હતુ. તો નજીકમાં જ સ્કૂલ હોવાથી બાળકોને સ્કૂલમાં જવાની પણ તકલીફ ઉભી થઈ છે. ગ્રામજનોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસા દરમિયાન ગામમાં આવી પરિસ્થિતિ ઉભી થાય છે.
નવસારીનો દરિયો તોફાની બનતા આસપાસના ગામડાઓમાં પાણી ધૂસ્યા હતા જેમાં મોટાભાગના ઘરોમાં તબાહી સર્જાઈ હતી. દક્ષિણ ગુજરાતમાં વરસાદ આફત બનીને વરસ્યો છે. નવસારી અને વલસાડમાં સતત પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો હતો.
સતત ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. અહીં પુરના કારણે અત્યાર સુધીમાં પાંચ જેટલા લોકોના મોત નિપજ્યા છે.