પાકિસ્તાનમાં સિખોના પવિત્ર સ્થળ નનકાના સાહિબમાં પથ્થરબાજી અને સિખો પર હુમલાને લઇને ભારતમાં રાજનીતિ શરૂ થઇ ગઇ છે. નાગરિકતા કાયદાને લઇને કોંગ્રેસના વિરોધનો સામનો કરી રહેલી બીજેપીને પાકિસ્તાનમાં બનેલી આ ઘટનાએ પલટવાર કરવા માટે હથિયાર આપી દીધું છે.
પાક. માં સિખોના પવિત્ર સ્થળ નનકાના સાહિબ પર પથ્થરબાજી મામલો
બીજેપીની સાથે પંજાબમાં તેની સહયોગી અકાલી દળે કોંગ્રેસને નાગરિકતા કાયદાના વિરોધ પર ઘેરી
નનકાના હુમલાના વિરોધમાં શનિવારે બપોરે દિલ્હી અને જમ્મૂમાં સિખ સમુદાયના લોકોએ પ્રદર્શન કર્યું
શનિવારે બીજેપીની સાથે પંજાબમાં તેની સહયોગી અકાલી દળે કોંગ્રેસને નાગરિકતા કાયદાના વિરોધ પર ઘેરી છે. બીજેપીએ કોંગ્રેસને નિશાન પર લેતા કહ્યું કે, આ ઘટનાથી જાણવા મળે છે કે, દેશમાં નાગરિકતા સંશોધન કાયદાની જરૂર છે. અકાલી દળના નેતા અને કેબિનેટ મંત્રી હરસિમરત કૌર બાદલે પણ કોંગ્રેસ પર હુમલો બોલ્યો છે. નનકાના સાહિબમાં થયેલ પથ્થરબાજીનો ઉલ્લેખ કરતા તેઓ કહ્યું કે, પાકિસ્તાનમાં લઘુમતિઓનું ઉત્પીડન એક વાસ્તવિકતા છે.
દિલ્હી, જમ્મૂમાં પાકની વિરુદ્ધ પ્રદર્શન
આ ઘટનાને લઇને ભારતમાં સિખ સમુદાયમાં આક્રોશ છે. નનકાના હુમલાના વિરોધમાં શનિવારે બપોરે દિલ્હી અને જમ્મૂમાં સિખ સમુદાયના લોકોએ પ્રદર્શન કર્યું. દિલ્હીમાં આ હુમલાની વિરુદ્ધમાં સિખ સમુદાયના લોકોએ બપોરે પોસ્ટર-બેનરો સાથે રસ્તાઓ પર ઉતર્યા.
બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ નનકાના સાહિબ ગુરુદ્વારામાં થયેલી પથ્થરબાજી દરમિયાન એક યુવકના ભડકાઉ નિવેદનને ટ્વિટ કરતા કોંગ્રેસ પર નિશાન સાધ્યું. તેઓેએ કહ્યું કે, શું કોઇ ત રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી માટે ઇટાલિયનમાં અનુવાદ કરી શકે છે જેથી તેઓ પાકિસ્તાનમાં લઘુમતિઓના ઉત્પીડનના પૂરાવા માંગવાનું બંધ કરી દે.
ત્યારે છત્તીસગઢ કોગ્રેસના ટ્વિટર પર જ સંબિત પાત્રાએ પલટવાર કર્યો છે. કોગ્રેસે ટ્વિટર પર લખ્યું કે, કોઇ ભાષામાં અનુવાદ કરવાની જરૂર નથી. સૌ કોઇ જાણે છે કે, આ 'સંઘી' ભાષા છે. આ ભાષામાં કેટલાક દિવસો પહેલા ઇન્ડિયા ગેટ પર 'ગોળી મારો...'ના નારા બીજેપીના નેતાઓ દ્વારા લગાવાઇ રહ્યા હતા. બંને તરફથી એક જેવા ખોટા વીડિયો ટ્વિટ થઇ રહ્યા છે, એક જેવી ભાષા બોલવામાં આવી રહી છે.'