દેશ દુનિયામાં કોરોનાનો કહેર યથાવત છે ત્યાકે આંધ્ર પ્રદેસમાં રહસ્યમયી બિમારી ફેલાયી રહી છે. રાજ્યના એલુરુ જિલ્લામાં રવિવારે આ બિમારીથી એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે 291 લોકોની હાલત ખરાબ થવા પર હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. પશ્ચિમી ગોદાવરી જિલ્લાના સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યાનુંસાર આમાં 140 લોકોને સારવાર બાદ ઘરે મોકલી દેવાયા છે. જ્યારે અન્ય લોકોની હાલત સ્થિર છે.
બિમારીની સારવાર માટે ડોક્ટરોની સ્પેશિયલ ટીમ પણ એલુરુ પહોંચી
સીએમ દર્દીઓને મળી સમીક્ષા બેઠક કરશે
એમ્સના 5 ડૉક્ટરની ટીમ અહીં પહોંચી
અધિકારીઓના જણાવ્યાનુંસાર હજું સુધી એ વાતની ખરાઈ નથી થઈ શકી કે કઈ બિમારીના કારણે લોકો અચાનક બિમાર પડી રહ્યા છે. આ બિમારીની ઝપેટમાં આવનારાને દોરા પડવા, મન બેચેન થવા જેવી સમસ્યા થઈ રહી છે. રવિવારે બેચેની અને વઈના દોરા પડવાની સમસ્યાના કારણે 45 વર્ષના એક વ્યક્તિને વિજયવાડાની સરકારી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થયું હતું.
બિમારીની સારવાર માટે ડોક્ટરોની સ્પેશિયલ ટીમ પણ એલુરુ પહોંચી
અચાનક ફેલાયેલી આ રહસ્યમયી બિમારીના કારણે એલુરુ પ્રશાસનમાં હડકંપ મચી ગયો છે. મળતી જાણકારી મુજબ બિમારીથી ગ્રસ્ત થયેલા મોટા ભાગના લોકો મિનિટોમાં સાજા થવા લાગ્યા છે. પરંતુ રવિવારે ઓછામાં ઓછા 7 લોકો સારી સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બિમારીની સારવાર માટે ડોક્ટરોની સ્પેશિયલ ટીમ પણ એલુરુ પહોંચી ગઈ છે. આ સાથે અન્ય બિમારીના લોકોની ઓળખ માટે ઘરે ઘરે જઈને સર્વેક્ષણ કરી રહ્યા છે.
સીએમ દર્દીઓને મળી સમીક્ષા બેઠક કરશે
રાજ્ય સ્વાસ્થ્ય આયુક્ત કતામાનેની ભાસ્કરે પણ આ ઘટનાની જાણકારી થતાં તાત્કાલીક એલુરુ પહોંચ્યા અને ત્યાંની સ્થિતિનું નિરિક્ષણ કર્યુ હતુ. રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદને પણ આ ઘટનાનું નિરિક્ષણ કરતા સ્વાસ્થ્ય અધિકારીઓને બિમાર લોકોની સારી સારવાર માટે નિર્દેશ આપ્યા છે. સોમવારે મુખ્યમંત્રી વાઈએસ જગનમોહન રેડ્ડી પણ સ્થિતિનું અવલોકન કરવા એલુરુના દર્દીઓને મળવા હોસ્પિટલ જશે. આ બાદ સમીક્ષા બેઠક કરશે.
એમ્સના 5 ડૉક્ટરની ટીમ અહીં પહોંચી
ભાજપના સાંસદ જીવીએલ નરસિંહા રાવે પણ પ્રમુખ સચિવ નીલમ સાહની સાથે વાત કરી હતી. જાણકારી આપવામાં આવી કે મલ્કાનગિરિથી એમ્સના 5 ડૉક્ટરની ટીમ પણ વેસ્ટ ગોદાવરી જિલ્લાના સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે વાત કરી. વિશેષજ્ઞો સાથે ચર્ચા બાદ સાંસદે અંદાજો વ્યક્ત કર્યો કે કોઈ ઝેરી પદાર્થના કારણે આ બિમારી ફેલાયી હોય.