મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો ત્રાસ યથાવત છે. ત્યારે 29 ટકા એક્ટિલ કેસ વધ્યા છે. મુંબઈ માટે આવનારા 15 દિવસ ખુબ મહત્વના છે.
નવા વેરિએન્ટનો ડર
મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસમાં લગભગ 29 ટકાનો વધારો
મુંબઈમાં કોવિડ મામલામાં 37 ટકા વધારો થયો
મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસમાં લગભગ 29 ટકાનો વધારો
રાજ્યમાં એક્ટિવ કેસમાં લગભગ 29 ટકાનો વધારો થયો છે. ત્યારે અધિકારીઓએ ચેતવણી આપી છે. મંબઈ માટે આવનારા 15 દિવસ ખુબ મહત્વપૂર્ણ રહેશે. મુંબઈ પ્રશાસને શહેરમાં કડકાઈ દર્શાવી છે. ત્યારે નાગપુરમાં પ્રતિબંધનો દોર પાછો આવી ગયો છે. અહીં હોટલોને 50 ટકા ક્ષમતાથી ચલાવવાની પરવાનગી મળી છે. ત્યારે 20થી વધારે લોકોના ભેગા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
મુંબઈમાં કોવિડ મામલામાં 37 ટકા વધારો થયો
રાજ્ય સરકારના ડેટા અનુસાર 12 ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રમાં 31 હજાર 479 એક્ટિવ કેસ હતા. આ આંકડા ગુરુવારે વધીને 43 હજાર 701 પર પહોંચ્યા છે. અગ્રેજી અખબારના જણાવ્યાનુંસાર મુંબઈમાં કોવિડ મામલામાં 37 ટકા વધારો થયો છે. શુક્રવારે શહેરમાં 823 નવા દર્દી મળ્યા છે. આ આંકડો ડિસેમ્બર બાદ સૌથી વધારે છે. શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 લાખ 17 હજાર 310 દર્દી મળ્યા છે. 11 હજાર 435 લોકોના મોત થયા છે. તેમજ મુંબઈમાં 18 ફેબ્રુઆરીએ 736 નવા કેસ 4ના મોત, 17 ફેબ્રુઆરીએ 721નવા કેસ 3 નામોત, 16 ફેબ્રુઆરીએ 461 નવા કેસ3 ના મોત, 15 ફેબ્રુઆરીએ 493 નવા કેસ 3ના મોત, 14 ફેબ્રુઆરીએ 645નવા કેસ 4ના મોત. મુંબઈમાં 3.16 લાખની ઉપર પહોંચી ગઈ છે. જ્યારે 14,32 લોકોના મોત થયા છે.
આવનારા 15 દિવસમાં મામલા વધી શકે છે
રિપોર્ટ મુજબ બીએમસીના અતિરિક્ત કમિશ્નર સુરેશ કકાનીએ કહ્યું કે અમે અંદાજો લગાવી રહ્યા છીએ કે આવનારા 15 દિવસમાં મામલા વધી શકે છે. એટલા માટે શહેકમાં કોવિડ -19માં વૃદ્ધિને સમજવા માટે આવનારા 2 અઠવાડિયા જરુરી રહેશે. મુંબઈમાં ગત 2 દિવસમાં 700થી વધારે કેસ સામે આવ્યા છે. જ્યારે અઠવાડિયાની શરુઆતમાં આ આંકડો 500થી નીચે હતો.
આ કારણે કેસ વધ્યા હોઈ શકે
વરિષ્ઠ સ્વાસ્થ્ય અધિકારીઓએ જાણકારી આપી છે કે ગત અઠવાડિયામાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થવાના કારણે કેસમાં વધારાનું કારણ હોઈ શકે છે. સાથે સુરક્ષા નિયમોનું પાલન ન કરવાના કારણે પણ કેસમાં ઉછાળો આવ્યો હોઈ શકે છે.
નવા વેરિએન્ટનો ડર
અધિકારીઓએ જાણકારી આપી છે કે શરુઆતમાં જીનોમ સિંક્કેસિંગથી જાણવા મળ્યું છે કે અમરાવતી અને યવતમાલ જિલ્લામાં Sars-Cov-2ના 2 મ્યૂટેટેડ વેરિએન્ટ્સ તેજીથી ફેલાઈ રહ્યા છે. મેડિકલ એક્સપર્ટ્સનું કહેવું છે કે એક જ પરિવારોના અનેક લોકો સંક્રમિત થઈ રહ્યા છે. પરંતુ તે મદદ કરવાની ના પાડી રહ્યા છે. અનેક મામલામાં દર્દીઓએ ખોટા એડ્રેસ આપ્યા હોવાના કારણે સમસ્યા આવી રહી છે.