મહારાષ્ટ્રમાં વધતા કોરોના કેસના કારણે મુખ્યમંત્રીએ ચિંતા વ્યકત કરતાં કહ્યું કે કોરોનાના નિયમોનું પાલન નહીં કરાય તો કાર્યવાહી કરીશું.
મહારાષ્ટ્રમાં વકરી રહ્યો છે કોરોના
મુખ્યમંત્રીએ આપી નિયમ પાલનની ચેતવણી
ફરીથી લાગૂ થઈ શકે છે લોકડાઉન
મહારાષ્ટ્રમાં વધતા કોરોના કેસના કારણે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે જિલ્લા વિડિયો કોન્ફરન્સિંગની મદદથી એક બેઠક કરી તેમાં કહ્યું કે જો લોકો કોરોનાના નિયમોનું પાલન નહીં કરે તો તેમની વિરુદ્ધમાં કાર્યવાહી કરાશે.
ઉદ્ધવ ઠાકરેએ કહી આ વાત
તેઓએ બેઠકમાં કહ્યું કે એ નક્કી કરવં લોકો પર નિર્ભર છે કે તેઓ લોકડાઉન ફરીથી ઇચ્છે છે કે પછી થોડા પ્રતિબંધ સાથે સ્વતંત્ર રીતે ફરવા ઈચ્છે છે. તેઓએ કહ્યું કે જો લોકો માસ્ક નથી પહેરતા અને સ્વાસ્થ્ય નિયમોનું પાલન નથી કરતા તો જિલ્લા અને પોલિસ પ્રશાસનની જવાબદારી છે કે તેઓ આ નિયમોને કડકાઈથી લાગૂ કરે.
મોટા પાયે થઈ રહી છે પાર્ટીઓ અને સમારોહ
મોટા પાયે થઈ રહેલી પાર્ટીઓ અને સમારોહમાં લોકો ભાગ લઈ રહ્યા છે. મુખ્યમંત્રીએ કલેક્ટરોને કહ્યું કે જો સામાજિક સુરક્ષા માનદંડો અને માસ્કનું પાલન નહીં કરાય તો તેઓ રેસ્ટોરાં અને બેન્કવેટ હોલનું લાયસન્સ પણ રદ્દ કરી શકે છે.
રવિવારે આવ્યા એક મહિનાના સૌથી વધુ કેસ
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં રવિવારે છેલ્લા એક મહિનાથી વધુ સમયના સૌથી વધારે કેસ આવ્યા છે. કોરોનાના 4092 નવા કેસ સામે આવવાના કારણે અને મંગળવારે નવા 3663 કેસ આવતા સરકારની ચિંતા વધી છે. મુખ્યમંત્રી ઠાકરેએ ચેતવણી આપી છે કે આ નાગરિકોએ નક્કી કરવાનું રહેશે કે તેઓ સંક્રમણ પર નિયંત્રણ લોકડાઉનથી ઇચ્છે છે કે પાબંધી સાથે મુક્ત રહેવા ઈચ્છે છે. જો લોકો માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરે તો લોકડાઉનનો સામનો કરવો પડી શકે છે.