ટીમ ઇન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી ICC ક્રિકેટ વર્લ્ડ કપની મેચમાં એક એવી ઘટના બની જેના વિશે તમામને સવાલ થઇ રહ્યા છે.
આ મેચમાં બાંગ્લાદેશની ઇનિંગ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની થોડા સમય માટે ગ્રાઉન્ડની બહાર ચાલ્યો ગયો હતો અને ધોનીની જગ્યાએ રિષભ પંત વિકેટકીપિંગ કરી રહ્યો હતો.
બાંગ્લાદેશની ઇનિંગની 12મી ઑવરમાં મહેન્દ્ર સિંહ ધોની બહાર ચાલ્યો ગયો અને રિષભ પંત વિકેટકીપિંગ કરી રહ્યો હતો. ધોની આમ અચાનકથી ગ્રાઉન્ડની બહાર જતા સોશ્યલ મીડિયામાં ચર્ચા શરૂ થઇ ગઇ હતી.
ફેન્સને મનમાં વારંવાર સવાલ થઇ રહ્યા છે કે, છેવટે ધોનીને કેમ ગ્રાઉન્ડની બહાર જવુ પડ્યુ. ધોનીના ગ્રાઉન્ડની બહાર જતા સોશ્યલ મીડિયા પર યૂઝર્સ પોતાની રિએક્શન્સ આપી રહ્યા છે.
Dhoni leaving ground in the middle of #IndiaVsBangladesh match for chai sutta like he works in some sarkari office 😁😁 #CWC2019
આ પછી 14મી ઑવરમાં ધોની ગ્રાઉન્ડમાં પરત ફરતા ફેન્સને રાહતના શ્વાસ લીધા. જોકે ધોનીને લઇને તમામના મનમાં સવાલ હજુ પણ થઇ રહ્યા છે કે શું માહી ફિટ તો છે ને.
તમને જણાવી દઇએ કે, ઇંગ્લેન્ડ વિરુદ્ઘ રવિવારે રમાયેલી મેચમાં ધોનીને અંગૂઠા પર ઇજા થઇ હતી.ધોનીના અંગૂઠા પરથી લોહી નીકળતુ હતુ. ધોનીની અંગૂઠાનુ લોહી ચૂસતો ફોટો ખૂબ જ વાયરલ થયો હતો. સંભવ છે કે, ધોની પોતાની ઇજા કારણે ગ્રાઉન્ડમાંથી બહાર ગયો હોય. જો ધોનીની આ ઇજા ગંભીર હશે તો ટીમ ઇન્ડિયાની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે.