પૂર્વ કેપ્ટન અને અનુભવી વિકેટકીપર બેટ્સમેન 39 વર્ષીય મહેન્દ્ર સિંહ ધોની, જેણે ભારતને બે-બે વર્લ્ડ કપ જીતાડ્યા છે, તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. જો કે ધોનીનું ક્રિકેટ જગતમાં ઊંચું નામ છે પરંતુ તેના નામે એક એવો રેકોર્ડ છે જે વિશ્વમાં માત્ર તેની પાસે જ છે.
ધોનીએ શનિવારે એટલે કે 15 ઓગસ્ટના રોજ 16 વર્ષની લાંબી આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાંથી સંન્યાસ જાહેર કરી દીધો છે. ધોનીએ ડિસેમ્બર 2004 માં બાંગ્લાદેશ સામે વનડે મેચ રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. જો કે એમ એસ ધોની IPLમાં રમવાનું ચાલુ રાખશે. જેથી તેના ચાહકો ધોનીને આઈપીએલમાં રમતા જોઈ શકે છે.
મહેન્દ્રસિંહ ધોની પહેલાથી જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ચૂક્યો હતો. ધોનીએ ડિસેમ્બર 2014 માં મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત માટે છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. આ સિવાય ધોનીએ તેની છેલ્લી ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ ફેબ્રુઆરી 2019 માં બેંગ્લુરુમાં ઑસ્ટ્રેલિયા સામે રમી હતી, જ્યારે વર્લ્ડ કપ સેમિફાઇનલ (9-10 જુલાઈ 2019) એ તેની છેલ્લી વન ડે આંતરરાષ્ટ્રીય મેચ હતી.
ધોની બાદ સુરેશ રૈનાએ પણ સંન્યાસની કરી જાહેરાત
ધોનીના સંન્યાસની જાહેરાત બાદ ગણતરીની મિનિટોમાં સુરેશ રૈનાએ પણ માહીની જેમ ઈન્સ્ટાગ્રામ પર પોતાના સંન્યાસની જાહેરાત કરી દીધી છે. સુરેશ રૈનાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે MS ધોની સાથે રમવું એક લ્હાવો હતો અને ગર્વથી હું તમારી સાથે સફર પર છું. થેન્ક યુ ઈન્ડિયા. જય હિંદ.
સચિન અને ગાંગુલીએ આપી પ્રતિક્રિયા
ધોનીના સંન્યાસની જાહેરાત બાદ BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પ્રતિક્રિયા આપી હતી. ગાંગુલીએ કહ્યું આ એક યુગનો અંત આવ્યો. તે ભારત અને ક્રિકેટની દુનિયા માટે એક અદ્ભુત ખેલાડી હતો. તેના જેવી લીડરશીપ અને ક્વૉલિટી મેચ કરવું અઘરું હશે. ઉલ્લેખનીય છે કે ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ જ 2004માં પોતાનું આંતરાષ્ટ્રીય કરિયર શરુ કર્યુ હતું.
It is the end of an era. What a player he (MS Dhoni) has been for the country & cricket. His leadership qualities have been something, which will be hard to match, especially in the shorter format of the game: BCCI President Sourav Ganguly@BCCI@SGanguly99@MSDhonifansclub
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 15, 2020
ગોડ ઓફ ક્રિકેટ અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પણ ધોનીની વિદાય પર ટ્વિટ કર્યુ હતું કે ભારતીય ક્રિકેટમાં તારું ખૂબ યોગદાન રહ્યું છે. 2011નો વર્લ્ડ કપ આપણે સાથે જીત્યા તે મારા જીવનની સૌથી યાદગાર ક્ષણ હતી.
Your contribution to Indian cricket has been immense, @msdhoni. Winning the 2011 World Cup together has been the best moment of my life. Wishing you and your family all the very best for your 2nd innings. pic.twitter.com/5lRYyPFXcp
વિશ્વમાં ધોની એકમાત્ર કૅપ્ટન જેણે ત્રણ મોટી ટ્રોફી જીતી હોય
ધોની વિશ્વ ક્રિકેટમાં એકમાત્ર કેપ્ટન છે જેમણે ICCની ત્રણ મોટી ટ્રોફી જીતી છે. ધોનીની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ આઈસીસી વર્લ્ડ ટી 20 (2007), ક્રિકેટ વર્લ્ડ કપ (2011) અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી (2013) જીતી લીધી છે. આ સિવાય 2009 માં પ્રથમ વખત ભારત ટેસ્ટમાં નંબર -1 બન્યું હતું.
ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો
7 જુલાઈ 1981 ના રોજ જન્મેલા મહેન્દ્રસિંહ ધોનીની બેટિંગથી તેની વધતી ઉંમરની અસર દેખાવા માંડી હતી. તેની ધીમી બેટિંગ માટે ધોનીની સતત ટીકા થતી હતી. વર્લ્ડ કપ પછી ટીમ ઈન્ડિયા વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ પર ગઈ હતી, પરંતુ ધોનીએ આ સમયગાળા દરમિયાન ટેરિટોરિયલ આર્મી યુનિટ સાથે કાશ્મીરમાં 15 દિવસ વિતાવ્યા હતા. તે 31 જુલાઈથી 15 ઑગસ્ટ દરમિયાન કાશ્મીરમાં પોસ્ટ હતા.
વર્લ્ડ કપ -2018 માં મહેન્દ્રસિંહ ધોનીની સુસ્ત બેટીંગ ટીકાકારોનું લક્ષ્ય હતું. વર્લ્ડ કપ 2019 માં રમાયેલી 9 મેચની 8 ઇનિંગમાં ધોનીએ 45.50 ની સરેરાશથી 273 રન બનાવ્યા, જેમાં 2 અર્ધસદીનો સમાવેશ થાય છે. આ દરમિયાન ધોનીને તેની ધીમી બેટિંગ માટે ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો.
કેપ્ટન ધોનીની સિદ્ધિઓ
1 ક્રિકેટ વર્લ્ડ કપ (2011)
1 ટી 20 વર્લ્ડ કપ (2007)
1 ચેમ્પિયન્સ ટ્રોફી (2013)
3 આઈપીએલ ટાઇટલ (2010, 2011, 2018)
2 ચેમ્પિયન્સ લીગ ટી 20 ના ટાઇટલ (2010, 2014)
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રદર્શન
10,773 વનડે રન, 444 વિકેટ પાછળ શિકાર
4,876 ટેસ્ટ રન, 294 વિકેટ પાછળ શિકાર
1,617 ટી 20 આંતરરાષ્ટ્રીય રન, 91 વિકેટ પાછળ શિકાર
આંતરરાષ્ટ્રીય એક દિવસીય પ્રદર્શન
મહેન્દ્રસિંહ ધોનીએ ભારત તરફથી 350 ODI૦ વનડેમાં .5૦..57 ની સરેરાશથી 10773 રન બનાવ્યા છે, જેમાં 10 સદી અને 73 અર્ધ-સદીનો સમાવેશ છે. આ દરમિયાન તેનો શ્રેષ્ઠ સ્કોર અણનમ 183 રન રહ્યો હતો. ધોનીની વનડેમાં 1 વિકેટ છે અને તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 14 રનમાં 1 વિકેટ છે.
ટેસ્ટ મેચોમાં પ્રદર્શન
મહેન્દ્ર સિંહ ધોનીએ ભારત માટે 90 ટેસ્ટમાં 38.09 ની સરેરાશથી 4876 રન બનાવ્યા છે, જેમાં 6 સદી અને 33 અડધી સદીનો સમાવેશ છે. આ સમય દરમિયાન, તેનો શ્રેષ્ઠ સ્કોર 224 રન હતો.
T20 આંતરરાષ્ટ્રીયમાં પ્રદર્શન
મહેન્દ્રસિંહ ધોનીએ ભારત માટે 98 ટી -20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 37.60 ની સરેરાશથી 1617 રન બનાવ્યા છે, જેમાં 2 અર્ધસદીનો સમાવેશ છે. આ દરમિયાન તેનો શ્રેષ્ઠ સ્કોર 56 રન હતો.
IPLમાં પ્રદર્શન
મહેન્દ્રસિંહ ધોનીએ 190 આઈપીએલ મેચોમાં 42.21 ની સરેરાશથી 4432 રન બનાવ્યા છે, જેમાં 23 અર્ધસદીનો સમાવેશ છે. આ દરમિયાન તેનો સર્વોત્તમ સ્કોર 84 રન હતો.