CRPFના કાફલા પર પુલવામામાં કરવામાં આવેલ આંતકવાદી હુમલામાં 40 જવાનો શહીદ થયા ગયા બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાનને બરાબર પાઠ ભણાવી દેવા માટેની માગણી ગુસ્સા સાથે ઉઠી રહી છે. આ કારણે જ ભારત સરકાર આ વખતે પાકિસ્તાન સાથે ખૂબ જ કડક હાથે કામ કરી રહી છે. જેમાં સૌથી પહેલા તો પાકિસ્તાનને આપવામાં આવેલ મોસ્ટ ફેવર્ડ નેશન(MFN)નો દરજ્જો પરત ખેંચી લીધો છે. આ ઉપરાંત પાકિસ્તાનથી આયાત થતા માલ પર 200% જેટલી જંગી આયાત કર નાખી દેવામાં આવ્યો છે. જોકે આટલુ પુરતુ નથી તેમ છતાં કૂટનીતિક રીતે હવે આનાથી વધારે પગલા ભરી શકે તેમ નથી. કોઈ ખાસ પગલું ન ઉઠાવી શકાય માટે ભારતને આ કારણો નડી રહ્યા છે.
તાલિબાનનો કાંટો:
તાલિબાનને સમર્થન આપીને પાકિસ્તાન ફાયદો મેળવવાનો પ્રયાસ કરી રહ્યુ છે. પાકિસ્તાન હાલ અમેરિકા અને તાલિબાન વચ્ચેની મધ્યસ્થી પ્રક્રિયામાં વચેટિયાની ભૂમિકા નિભાવી રહ્યુ છે. તેથી તેને લાગી રહ્યું છે કે ભારત ભલે ધમપછાડા કરે પરંતુ અમેરિકા ભારતના કહેવા પર તેને ત્યાં ઉછરી રહેલા ભારત વિરોધી આતંકી સંગઠનો તેમને ઠેકાણા અને ફંડિગં બાબતે હાલ કંઈ વધુ પ્રેશર નહીં કરે. હકીકતમાં તાલિબાન જેવા આતંકવાદી સંગઠનો સાથે અમેરિકાની વાતચીતથી જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોનું પણ મનોબળ વધ્યું છે. મહત્વપૂર્ણ છે કે મસૂદ અઝહરને ફંડિંગ અને ટ્રેનિંગ પાછળ એક તાલિબાન પણ છે.
ચીન સાથે નવા સંબંધો:
ભારત ઇચ્છે છે કે સંયુક્ત રાષ્ટ્ર જૈશ એ મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી ઘોષિત કરે પરંતુ ચીન દર વખતે તેમાં રોડા નાખે છે. ભારતનો પ્રયાસ રહ્યો છે કે જનરલ પોલિસી અંતર્ગત અમેરિકા અને બ્રિટનને સાથે રાખીને UNની 1267 કમિટીમાં આ મુદ્દાને ઉઠાવે અને આ રીતે ચીન પર દબાણ વધારે કે શા માટે તેઓ એક આંતકી સર્મથનમાં આગળ આવે છે. પરંતુ ગત વુહાન સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ વચ્ચે મુલાકાત પછી આ મુદ્દે ભારત નરમાશભર્યુ વલણ અપનાવી રહ્યુ છે. 2018માં ભારતે આ મુદ્દા કોઇ દબાણ ઉભુ કર્યુ નથી. હવે સમય છે ભારતે ફરી આ મુદ્દો ઉઠાવવો પડશે.
પાકિસ્તાનને સાઉદીનો સાથ:
ભારત પાકિસ્તાન વિરુદ્ધ એક પછી એક કૂટનીતિક પગલા ભરી રહ્યું છે ત્યારે આ વચ્ચે જ સાઉદી અરબના રાજકુમાર દ્વારા પાકિસ્તાન પ્રવાસ અને તેને 20 અબજ ડૉલરના આર્થિક વેપારિક ડીલના સમાચાર આવ્યા છે. પાકિસ્તાન પછી રાજકુમાર મોહમ્મદ બિન સુલેમાન ભારત પમ આવશે. ત્યારે ભારત પાસે એક મોકો છે. જેને લઇને પાકિસ્તાન વિરુદ્ઘ એક કૂટનીતિક કેસ તૈયાર કરી શકાય. અલબત્ત ભલે 2016માં પીએમ મોદીના સાઉદી પ્રવાસ બાદ બંને દેશો વચ્ચે સહયોગ વધ્યો છે. પરંતુ સાઉદી ભારતની તુલનાએ પાકિસ્તાનની વધુ નજીક છે.