RSS સાથે જોડાયેલા ભારતીય કિસાન સંઘે ખેડૂતોને સમર્થન આપ્યું છે. સાથેજ તેમણે 8 સપ્ટેમ્બરે વિરોધ પ્રદર્શન કરવાની વાત કરી છે. જેના કારણે મોદી સરકારની ચિંતામાં વધારો થયો છે.
મોદી સરકારને લાગ્યો મોદી ઝટકો
પોતાનાજ માણસોએ ખેડૂત આંદોલનને આપ્યું સમર્થન
RSS સાથે જોડાયેલા ભારતીય કિસાન સંઘ ખેડૂતોના સમર્થનમાં
ભાજપનું વૈચારિક સંગઠન ગણાતા RSS સાથે જોડાયેલા ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોને લગતી સમસ્યાને લઈને 8 ડિસેમ્બરે રાષ્ટ્રવ્યાપી પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય કિસાન સંઘના મહામંત્રી બદ્રીનાથ ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે તેમણે ઓગસ્ટ મહિનામાં બધાજ પ્રાંતના પ્રતિનિધિઓ સાથે બેઠર કરીને ખેડૂતોની સમસ્યા પર ચર્ચા કરી હતી.
500 જિલ્લામાં ધરણા
8 સપ્ટેમ્બરના રોજ તેઓ દેશવ્યાપી પ્રદર્શન કરશે જે પ્રદર્શનમાં 500 જિલ્લાઓમાં તેઓ ધરણા આપશે. સાથેજ બદ્રીનાથ ચૌધરીએ કહ્યું કે તેવું એવું ઈચ્છે છે કે ખેડૂતોને યોગ્ય ન્યાય મળે. વધુમાં તેમણે કહ્યું કે વેપારીઓ તેમના હિસાબે પાક ખરીદચા હોય છે. સરકાર દ્વારા MSPની જાહેરાત તો કરવામાં આવે છે. પરંતુ તેનું વેતન 6 મહિને થાય છે. પરિણામે સરકાર મૂળ પાકના પ્રમાણમાં 25 ટકા પાક ખરીદતી હોય છે.
MSP પર ખેડૂતોને ફાયદો થવો જોઈએ
આ સિવાય ભારતીય કિસાન સંઘના મહામંત્રીએ કહ્યું કે MSP પર ખરીદીનો કાયદો બનવો જોઈએ. સરકારે એવી વ્યવસ્થા કરવી જોઈએ કે ખેડૂતોને ફાયદો થાય. ઉપરાંત તેમણે કહ્યું કે જે MSP અત્યારે આપવામાં આવી રહી છે તે ખેડૂતો સાથે છલ કરવા સમાન છે.
11 વાગ્યે જંતરમંતર ખાતે પ્રદર્શન
સમગ્ર મામલે સવારના 11 વાગ્યે સંઘ દ્વારા જંતરમંતર ખાતે પ્રદર્શન કરવામાં આવશે. તેમણે કહ્યું કે અમે ત્રણેય કાયદાઓ અગાઉ સ્વીકાર્યા હતા પરંતુ તેવું પણ કહ્યું હતું કે આમા નવા સંશોધન મુકવામાં આવે.
મોંઘવારીને લઈને પણ કરશે વિરોધ પ્રદર્શન
ઉલ્લેખનીય છે કે RSS સાથે જોડાયેલા ભારતીય મજૂર સંઘે મોંધવારીને લઈને પણ 9 સપ્ટેમ્બરે વિરોધ પ્રદર્શન કરાવાનું એલાન કર્યું છે. જેમા ભારતીય મજૂર સંધના દરેક કાર્યકર્તાઓ દેશના મોટા ભાગના જિલ્લામાં પ્રદર્શન કરવાના છે.