જો તમે નોકરી કરો છો તો 1 એપ્રિલથી તમારા પીએફ, કામ કરવાના કલાક અને સેલેરીના નિયમોમાં ફેરફાર લાવશે. ગ્રેજ્યુઈટી અને પીએફ વધશે તો ટેકહોમ સેલેરી ઘટશે.
1 એપ્રિલથી થશે આ મોટા ફેરફાર
ગ્રેજ્યુઈટી અને પીએફ વધશે
કામ કરવાના કલાક અને સેલેરીના નિયમોમાં ફેરફાર થશે
કેન્દ્ર સરકારની તરફથી આ ફેરફારને લાવવા માટે વિધેયકના નિયમો પર પણ ચર્ચા ચાલી રહી છે. તેને લાગૂ કરવાને માટે પણ વિચાર ચાલી રહ્યો છે. ગયા વર્ષે સંસદમાં પાસ કરાયેલા 3 Code on Wages Billની જેમ આ ફેરફાર થઈ શકે છે. આ વખતે 1 એપ્રિલથી આ નિયમ લાગૂ થઈ શકે છે. તો જાણો કયા ફેરફાર આવશે અને તમને કઈ રીતે કરશે અસર.
10 પોઈન્ટમાં સમજો નવા નિયમો કઈ રીતે કરશે અસર અને શું છે સરકારનો પ્લાન
સરકારના પ્લાન અનુસાર 1 એપ્રિલથી મૂળ વેતનની કુલ સેલેરીના 50 ટકા કે તેનાથી વધારે હોવું જોઈએ.
કેન્દ્ર સરકારનો દાવો છે કે વેતનમાં કરાયેલા આ ફેરફારથી નિયોક્તા અને શ્રમિક બંનેને ફાયદો થશે.
નવા નિયમ અનુસાર તમે પીએફમાં એક તરફ વધારો મેળવશો તો અન્ય તરફ ટેક હોમ સેલેરી ઘટી જશે. આ સાથે નવા નિયમ અનુસાર મૂળ વેતનના 50 ટકા કે વધારે હોવું જોઈએ.
અનેક લોકોના સેલેરી સ્ટ્રક્ચરમાં મોટા ફેરફાર આવી શકે છે. મૂળ વેતન વધવાથી પીએફમાં વધારો થશે અને સાથ બેસિક સેલેરી પર આધાર રહેશે.
કામ કરવાના કલાકોને વધારીને 12 કલાક કરવાની રજૂઆત કરાઈ છે. આ સિવાય 15થી 30 મિનિટ સુધી એકસ્ટ્રા કામ કરવા માટે પણ ઓવરટાઈમને સામેલ કરવાની વિચારણા છે.
હાલમાં તમે 30 મિનિટથી પણ ઓછા સમય માટે એક્સ્ટ્રા કામ કરો છો તો તેને ઓવર ટાઈમ ગણાતો નથી.
નવા નિયમ અનુસાર 5 કલાકથી વધારે સતત કામ કરવા માટે પ્રતિબંધ મૂકાશે. સરકારનું માનવું છે કે કર્મચારીઓને 5 કલાક કામ કર્યા બાદ અડધા કલાકનો બ્રેક આપવો જોઈએ.
પીએફ રાશિ વધવાથી રિટાયરમેન્ટની રકમમાં પણ વધારો થશે. રિટાયરમેન્ટ બાદ લોકોને આ રાશિથી મદદ મળશે.
પીએફ અને ગ્રેજ્યુઈટી વધવાથી કંપનીના ખર્ચમાં વધારો થશે કેમકે તેમને પણ કર્મચારીઓને માટે પીએફમાં વધારે યોગદાન આપવાનું રહેશે.
ગયા વર્ષે સંસદમાં પાસ કરાયેલ3 નિયમના કારણે પણ મોટા ફેરફાર જોવા મળી શકે છે.