મોદી સરકારે દિવાળી પહેલા જ 30 લાખ જેટલા સરકારી કર્મચારીઓને બોનસ આપી દેવાનો નિર્ણય કર્યો છે. કોરોના વાયરસના કારણે ભારતનું અર્થતંત્ર ખરાબ સમયથી પસાર થઇ રહ્યું છે છે ત્યારે બજારમાં ઉપભોક્તા ખર્ચ વધારીને માંગમાં વધારો લાવવા માટે સરકારે આ નિર્ણય કર્યો છે.
30 લાખ 67 હજાર સરકારી કર્મચારીને લાભ
દશેરા પહેલા જ ખાતામાં આવી જશે નાણા
સરકાર માંગમાં વધારો કરવા માટે કરી રહી છે નિર્ણય
કયા કર્મચારીઓને દશેરા પહેલા જ 'દિવાળી' ?
ડીમાન્ડમાં વધારો લાવવા માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે ત્યારે કેબિનેટ દ્વારા નાણાંકીય વર્ષ 2019-2020 માટે પ્રોડક્ટીવીટી અને નોન પ્રોડક્ટીવીટી લિન્ક્ડ બોનસની જાહેરાત કરી છે. સરકારની આ જાહેરાત બાદ 30 લાખ 67 હજાર નોન-ગજેટેડ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને લાભ મળશે.
દશેરા પહેલા જ મળી જશે નાણાં
આ જાહેરાત બાદ સકરારની તિજોરી પર 3737 કરોડ રૂપિયાનો બોઝ પડશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે બોનસને સિંગલ ઈન્સ્ટોલમેન્ટમાં જ જાહેર કરવામાં આવશે અને આ રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી વિજયાદશમી પહેલા જ બધા જ કર્મચારીઓ અને અધિકારીઓને મળી જશે.
The bonus will be given in a single installment, through Direct Benefit Transfer, before Vijayadashami: Union Minister Prakash Javadekar https://t.co/Y5ST8UGjjf
નોંધનીય છે કે સરકાર સરકારી કર્મચારી અને અધિકારીઓને ઘણો ફાયદો આપી રહી છે. આ પહેલા સર્જાર LTC કેશ વાઉચર સ્કીમ લઈને આવી હતી.
કોરોના વાયરસના કારણે અર્થતંત્રને નુકસાન
કોરોના વાયરસના કારણે ભારતના અર્થતંત્રને ઘણું નુકસાન થયું છે ત્યારે ભારતના આર્થિક મામલાના સચિવ તરુણ બજાજે કહ્યું કે કોરોના વાયરસના કેસમાં ઘટાડો આવવાની સાથે જ અર્થતંત્રમાં પણ સુધારો જોવા મળશે. તેમણે કહ્યું કે વિભાગોને ખર્ચ વધારવા કહેવામાં આવ્યું છે જેથી વધારે લાભ જોવા મળશે.