દરેક ઘરમાં સવાર સાંજ રોટલી બને છે. જો તમે રોટલી બનાવતા તેમાં મોણ ઉમેરો તો તેની પૌષ્ટિકતા વધી જાય છે. આ સાથે રોટલી ફૂલેલી અને નરમ બને છે. પણ શું તમે જાણો છો કે ઘઉં અને સોયાબીનને મિક્સ કરીને લેવાથી હેલ્થ સારી રહે છે અને રોટલીની પૌષ્ટિકતા પણ વધે છે.
ઘઉંની સાથે મિક્સ કરો સોયાબીન
ઘઉં અને સોયાબીનને 1:5ના પ્રમાણમાં લો
ઘઉં દળાવતી સમયે જ તેમાં સોયાબીન પણ મિક્સ કરી લો
કહેવાય છે કે પરિવારના પોષણની જવાબદારી ગૃહિણીની હોય છે. જો તમે પરિવારના સભ્યોની હેલ્થ સાથે કોમ્પ્રોમાઈઝ કરવા ઈચ્છતા નથી તો તમે આ કામ કરી લો. તમમારું કામ થોડું સરળ બની જશે.
જ્યારે તમે ઘઉં દળાવવા જાઓ ત્યારે ઘઉંની સાથે સોયાબીન પણ તેમાં મિક્સ કરીને દળાવી લો. જો તમે 10 કિલો ઘઉં લો છો તો તેની સામે તમે 1 કિલો સોયાબીન લઈ શકો છો. સોયાબીનને કારણે રોટલી નરમ અને પૌષ્ટિક તો બને જ છે પણ સાથે જ હેલ્થ માટે પણ સારું ગણાય છે. તો તમે પણ એક વાર આ લોટની રોટલી ટ્રાય કરો અને તેના ફાયદા તમે જાતે જ અનુભવશો.
સોયબીનથી મળશે આ લાભ
સોયાબીનમાંથી શરીરને પ્રોટીનની સાથે એમિનો એસિડ, વિટામિન કે, રીબોફ્લેવીન, ફોલેટ, વિટામીન બી સિક્સ, થાયમીન, વિટામિન સી, આયર્ન, મેગેંનીઝ, ફોસ્ફરસ, કોપર, પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝિંક, સેલેનિયમ અને કેલ્શિયમ પણ મળી રહે છે. આ સિવાય એન્ટીઓક્સીડન્ટ્સ અને ફાઈબર તથા કાર્બોહાઈડ્રેટનો બેસ્ટ સોર્સ છે. તેમાંનું લેસિથિન ત્વચા અને હાર્ટને પણ ફાયદો કરે છે.