વડોદરાના ડભોઇમાં આવેલી શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ બેન્કની આર્થિક સ્થિતિ કથળતા આરબીઆઇએ 35A ની નોટિસ આપી 6 મહિના માટે નિયંત્રણો મૂકતા ખાતેદારો દોડતા થયા છે. ડભોઈ અને વડોદરામાં બેંકની બ્રાન્ચમાં મોટી સંખ્યામાં ખાતેદારો રૂપિયા લેવા દોડી આવતા અંધાધૂંધી સર્જાઈ હતી.
મહાલક્ષ્મીબેંકની શાખાઓમાં સવારથી જ ભારે ભીડ જામી
મરણમૂડીનું મરણ થઈ જતા સભ્યોમા રોષ
વડોદરાના ડભોઇમાં આવેલી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ બેન્કની આર્થિક સ્થિતિ નબળી પડતાં આરબીઆઇએ બેંક સામે 6 મહિના માટે નિયંત્રણો લાધ્યાની નોટિસ બહાર પાડી, તો આ તરફ ખાતેદારો અને થાપણદારોના પગ નીચેથી જમીન સરકી ગઈ છે.વર્ષોથી પાઈ પાઈ બચાવીને એકઠી કરેલી મરણમૂડીનું મરણ થઈ જાય તે પહેલા ખાતેદારો બેંકની જુદી જુદી બ્રાંચમાં ધસી આવ્યા હતા.
બેંકમાં અંધાધૂંધી સર્જાઈ હતી
વડોદરાના ડભોઇમાં આવેલી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ બેન્ક ફડચામાં જવાના કારણે સભ્યોની માથે ઉપાધિના વાદળો ઘેરાયા છે. ડભોઇમાં આવેલી. મહાલક્ષ્મી મર્કન્ટાઇલ બેન્કની આર્થિક સ્થિતિ નબળી પડતાં આરબીઆઇએ બેંક સામે 6 મહિના માટે નિયંત્રણો લાધ્યાની નોટિસ બહાર પાડી તો આ તરફ ખાતેદારો અને થાપણદારોના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. ડભોઈ અને વડોદરામાં બેંકની બ્રાન્ચમાં મોટી સંખ્યામાં ખાતેદારો રૂપિયા લેવા દોડી આવતા અંધાધૂંધી સર્જાઈ હતી.
ખાતેદારોની લાંબી લાઈન લાગી ગઈ
બેકિંગ નિયંત્રક ધારા, 1949 હેઠળ મહાલક્ષ્મી મર્કન્ટાઇલ બેંક સામે કાર્યવાહી હાથ ધરાઇ છે. જો કે, આ અંગેની નોટિસ 2 માર્ચે જાહેર થઇ હતી. આરબીઆઇની ગાઇડલાઇન મુજબ ખાતેદાર કે અન્ય વ્યક્તિઓ 6 મહિનામાં વધુમાં વધુ રૂ.30 હજાર જ ઉપાડી શકશે. ત્યારે આરબીઆઇની નોટિસના પગલે બેંકમાં રૂપિયા લેવા ખાતેદારોની લાંબી લાઈન લાગી ગઈ હતી. દરેકના ચહેરા પર ચિંતાના ભાવ જોવા મળતા હતા..
5 લાખની મર્યાદામાં મેળવી શકશે
કેટલાક ખાતેદારો રૂપિયા ડૂબી જવાના ડરે રીતસરના રડતા નજરે પડ્યા તો કેટેલાક લોકો બેંક મેનેજર એવી અપીલ કરતાં પણ જોવા મળ્યા કે તેમના પૂરેપૂરા નાણાં પરત મળી જાય કેટલાક ગ્રાહકો તો એવા પણ હતા કે, જેમણે હજું થોડા સમય પહેલા જ આ બેંકમાં થાપણ જમા કરાવી હતી. પરંતુ થોડા મહિનાઓમાં જ તેમનો વિશ્વાસ આ બેંક પરથી ઊઠી ગયો.આરબીઆઇએ સ્પષ્ટતા કરી છે કે બેંકની આર્થિક હાલતમાં સુધારો નહીં આવે ત્યાં સુધી જ આ નિયંત્રણો રહેશે. ત્યારે હવે આરબીઆઇના નિયંત્રણ બાદ હવે બેંક કોઇ લોનને મંજૂરી આપી શકશે નહીં કે તેને રિન્યૂ કરી શકશે નહીં, નવું રોકાણ નહીં કરી શકે, કોઇ ઉધાર ફંડ લઇ શકશે નહીં, નવી ડિપોઝિટ પણ લઇ શકશે નહીં, કોઇ ચૂકવણી કે તેના માટે સંમતિ આપી શકશે નહીં, અકસ્માયતો કે મિલકતોનું વેચાણ, તબદિલી કરી શકશે નહીં. બેંકમાં એફડી રાખનારા ડિપોઝિટર વીમાનો ક્લેઇમ રૂ.5 લાખની મર્યાદામાં મેળવી શકશે. તેવી જાહેરાત પણ કરાઈ છે.જેના લીધે વેપારી, ઉદ્યોગકારોમાં ભારે રોષ ફેલાયો હતો. ઇન્ચાર્જ બેંક મેનેજરએ ખાતેદારોને ભીડ ન કરવા અપીલ કરી, સાથે જ જેટલું ફંડ છે તે પ્રમાણે ખાતેદારોને ચુકવણી કરી રહ્યા હોવાનું કહ્યું હતું.