મેલાનિયા ટ્રમ્પને ભારત તરફથી પ્રસિદ્ધ પાટણની પટોળા સાડી ગિફ્ટ કરવામાં આવશે. આ સાડીની ખાસયિત તે છે કે તેમને સમગ્ર રીતે હાથથી (હેન્ડવર્ક) બનાવવામાં આવી છે. 4 થી 6 લોકોને એક પટોળું તૈયાર કરવામાં લઘભગ 6 મહિનાનો સમય લાગે છે.
મેલાનીયાને પાટણનું પટોળું ભેટ આપવામાં આવશે
પટોળું બનાવવામાં 6 મહિનાનો સમય લાગે છે
એક જ પરિવાર બનાવે છે પાટણમાં પટોળા
ટ્રમ્પના આગમનની હાલ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ યાત્રા દરમિયાન મેલાનીયાને યાદગાર ભેટ આપવામાં આવશે. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે પાટણની પ્રસિદ્ધ સાડી જેમને પટોળા તરીકે ઓળખવામાં આવે છે. પાટણના પટોળા વિશ્વભારમાં પ્રસિદ્ધ છે. આ સાડીની પહેલી ખાસિયત તે છે કે આ સાડીને સંપૂર્ણરીતે હાથથી (હેન્ડવર્ક) બનાવવામાં આવે છે. જે બનાવા માટે 6 મહિનાનો સમય લાગે છે.
તેમાં લાગેલા કલરમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ હોતું નથી. પટોળું બનાવવા માટે વનસ્પતિમાંથી ખાસ પ્રકારના રંગ તૈયાર કરવામાં આવે છે. સિલ્કથી બનતી પટોળા સાડી માત્ર ગુજરાતના પાટણ શહેરમાં જ તૈયાર થાય છે. પટોળાનું કપડુ ફાટી જાય પરંતુ તેમનો રંગ ન જાય.
6 લાખ હોય છે એક સાડીની કિંમત
હેન્ડવર્કથી તૈયાર થતી પટોળા સાડીની કિંમત દોઢ લાખથી લઈને 6 લાખ સુધીની હોય છે. તેમને તૈયાર કરવા વાલા માસ્ટર રાહુલ સાલ્વી કહે છે કે સિલ્કથી બનેલી પટોળા સાડી માત્ર ગુજરાતના પાટણમાં જ તૈયાર થાય છે. અને જેની એક સાડીની કિંમત લાખોમાં એટલા માટે છે કારણ કે સાડીને તૈયાર કરવા માટે ન તો મશીનનો ઉપયોગ કરવામાં આવે છે અને ન તો ડીઝાઈન બનાવવા માટે કમ્પ્યુટર મદદ લેવામાં આવે છે. પાટણમાં સાડી તૈયાર કરનાર હવે 5 માસ્ટર વિવર્સ બચ્યાં છે. સમગ્ર ધંધો ઓર્ડર મુજબ ચાલે છે.
એક જ પરિવાર બનાવે છે પાટણમાં પટોળા
900 વર્ષ જૂની આ કલાના દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ ખરીદદારો છે. આ ઉપરાંત પાટણમાં પટોળા સાડી બનાવવાની કોઈ ઇન્ડસ્ટ્રી નથી. પટોળા બનાવનાર એક જ પરિવાર પાટણમાં છે જે 30 પેઢીઓથી આ ધંધા સાથે સંકળાયેલી છે. અને આની એક બીજી પણ વિશેષતા છે. દુનિયાની એક માત્ર એવી સાડી છે જેને તૈયાર કર્યા બાદ ઉપરથી રંગ લગાવવામાં આવે છે. રંગ લગાવેલા ધાગાને બનાવીને તેમને ડીઝાઈન આપવામાં આવે છે. આ કારણે પટોળા બનાવવાની પ્રક્રિયા જટિલ છે. એક પણ ધાગો અલગ પડે તો સાડી ખરાબ થઈ જાય છે. માટે તે વાતનું પણ ખુબ ધ્યાન રાખવું પડે છે.
900 વર્ષ જુનો પટોળાનો ઈતિહાસ
પાટણના પટોળાની સાડી 900 વર્ષ જૂની છે. 12મી સદીમાં સોલંકી વંશના રાજા કુમારપાળ પૂજા પાઠમાં બેસતાં ત્યારે પટોળા ધારણ કરતા હતા. તે વખતે પટોળા મહારષ્ટ્રના જાલનામાં તૈયાર થતા હતા. ત્યારબાદ રાજા કુમારપાળે મહારાષ્ટ્રના જાલનાના 700 પટોળા વિવર્સને બોલાવ્યા અને પાટણમાં વસવાટ કરી ઉદ્યોગ ચલાવા માટે કહ્યું હતું. ત્યારથી જ પાટણમાં પટોળા પરંપરા શરુ થઈ.