મહેસાણાનું કડી આજકાલ ખૂબ ચર્ચાઓમાં રહે છે પહેલા દારૂકાંડ અને હવે જમીનકાંડ મામલે કડી ચર્ચામાં આવ્યું છે. એક મરેલા માણસનો ડુપ્લિકેટ ઉભી કરીને જમીન કૌભાંડ આચરવામાં આવ્યો છે. જાણે શું છે પૂરો મામલો
મહેસાણાના કડીમાં જમીન વેચવાનું કૌભાંડ
જમીન વેચવા માટે કૌભાંડીઓએ મૃત વ્યક્તિને કર્યો જીવતો
કૌભાંડીઓએ વર્ષો પહેલ મૃત્યુ થયેલ વ્યક્તિની જમીન વેંચી
મહેસાણાના કડીમાં જમીન વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. કૌભાંડીઓએ મૃત માણસને જીવતો કર્યો છે. એટલે કે, જે માણસ હયાત જ નથી જે મરી ચૂક્યો છે તે માણસની સાથે કેવી રીતે જમીન વેચાણ થયું તે એક મોટો પ્રશ્ન છે.
આ દુઃખદ ઘટના કડી તાલુકાના નરસિંહપુરા ગામ છે. કૌભાંડીઓએ વર્ષો પહેલ મૃત્યુ થયેલ વ્યક્તીની જમીન વેચી છે. મૃતક પંડિત સરજુ પ્રસાદની જમીન વેચવામાં આવી છે અને એ પણ નકલી સરજુ પ્રસાદ ઉભા કરીને. વર્ષો અગાઉ પંડિત સરજુ પ્રસાદનુ મરણ થઈ ચૂક્યું છે. પંડિત સરજુ પ્રસાદની ઓળખ ઉભી કરી કૌભાડીઓએ સ્ટેમ્પ કર્યો છે. બનાવટી વ્યક્તી ઉભો કરીને કૌભાંડ આચર્યુ છે. પોલીસે જમીન કૌભાંડ મુદ્દે 10 લોકો સામે ફરિયાદ નોંધી છે.