જ્યારે લોકો બીમાર પડે છે, ત્યારે ડોક્ટર પાસે જવાને બદલે, તેઓ સીધા જ મેડિકલ સ્ટોર પર જાય છે અને કંઈપણ વિચાર્યા વિના તે રોગ માટે દવાઓ ખરીદે છે. પરંતુ કેટલીક વખત તેના ગંભીર પરિણામો પણ ભોગવવા પડે છે. જો તમે ધ્યાન આપ્યું હોય, તો તમે જાણતા હશો કે દવાઓના પત્તા પર લાલ રંગની પટ્ટી બનાવવામાં આવી છે, પરંતુ શું તમે જાણો છો કે આ પટ્ટીનો અર્થ શું છે?
દવાના પત્તા પર કેમ હોય છે લાલ રંગની પટ્ટી?
ડૉક્ટર્સની સલાહ વગર આવી લાઇન હોય જે પત્તી પર એ દવા ના લેવી જોઇએ
જ્યારે લોકો બીમાર પડે છે, ત્યારે ડોક્ટર પાસે જવાને બદલે, તેઓ સીધા જ મેડિકલ સ્ટોર પર જાય છે અને કંઈપણ વિચાર્યા વિના તે રોગ માટે દવાઓ ખરીદે છે. પરંતુ કેટલીક વખત તેના ગંભીર પરિણામો પણ ભોગવવા પડે છે. જો તમે ધ્યાન આપ્યું હોય, તો તમે જાણતા હશો કે દવાઓના પત્તા પર લાલ રંગની પટ્ટી બનાવવામાં આવી છે, પરંતુ શું તમે જાણો છો કે આ પટ્ટીનો અર્થ શું છે?
સામાન્ય રીતે કહેવામાં આવે છે તે દવાઓ ડૉક્ટરની સલાહ વગર લેવી જોઇએ નહીં, જો તમે બિમાપ છો અથવા તમને સ્વાસ્થ્યથી જોડાયેલી કોઇ સમસ્યા છે તો તરત ડૉક્ટરને દેખાડો અને એમને જણાવેલી દવાઓનું સેવન કરો. તેમ છતા આ ચેતવણીને ઘણા દર્દીઓ અથવા એમના પરિવારના લોકો ટીવી અથવા સોશ્યલ મીડિયા પર જાહેરાત જોઇને ડૉક્ટરની સલાહ લીધા વગર પોતાની મરજીની દવાઓ લે છે. જેનાથી આગળ ગંભીર પરિણામ થઇ શકે છે. લોકોની આ આદત જોઇને સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ કરી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે કઇ દવાઓને ડૉક્ટરની સલાહ વગર ના ખાવી જોઇએ.
આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે 'જવાબદાર બનો અને ડૉક્ટરની સલાહ વગર લાલ લાઇન વાળી દવાની પત્તીમાંથી દવા ખાશો નહીં. તમે જિમ્મેદાર, તો દવાઓ અસરદાર.'
પોસ્ટમાં મૂકેલા ફોટા પર લખ્યું છે,
કેટલીક દવાઓ જેમ કે એન્ટીબાયોટિક્સની પત્તી પર એક ઊભી લાલ લાઇન હોય છે. એનો અર્થ એવો હોય છે કે આ દવાઇઓને માત્ર ડૉક્ટરની સલાહ અનુસાર જ લેવી જોઇએ, હંમેશા ડૉક્ટર દ્વારા જણાવવામાં આવેલી દવાઓનો પૂરો કોર્સ લો.
સાથે જ તમને જણાવી દઇએ કે લાલ લાઇન વાળી દવાઓને મેડિકલ સ્ટોર વાળા પણ ડૉક્ટરની રિસિપ્ટ અથવા રસીદ વગર વેચી શકે નહીં.
તો તમે પણ હવેથી લાલ લાઇન વાળી દવાઓને ડૉક્ટરની સલાહ વગર લેશો નહીં, સાથે જ બીજાને આ વાતની જાણકારી આપીને જાગૃત કરો.