દિલ્હીની તિહાડ જેલમાં 14 દિવસના રોકાણ માટે મનિષ સિસોદીયાને કોર્ટે કેટલીક વસ્તુઓ લઈ જવાની પરમિશન આપી છે.
દિલ્હીની તિહાડ જેલ બની મનિષ સિસોદીયાનું નવું ઠેકાણું
20 માર્ચ સુધી કોર્ટે મોકલી આપ્યાં તિહાડ જેલમાં
તિહાડ જેલના 14 દિવસના રોકાણ માટે માગી વસ્તુઓ
ડાયરી-પેન, ગીતા, કેટલીક દવાઓ સાથે લઈ જવાની કોર્ટની પરમિશન
દિલ્હી દારુ કૌભાંડમાં કોર્ટે મનિષ સિસોદીયાને 20 માર્ચ સુધી તિહાડ જેલમાં મોકલી આપ્યાં છે. તિહાડ જેલમાં 14 દિવસના રોકાણ માટે સિસોદીયા કોર્ટ પાસેથી કેટલીક વસ્તુઓ સાથે લઈ જવાની પરમિશન માગી જે કોર્ટે માન્ય રાખી છે. કોર્ટે મનિષ સિસોદીયાને ડાયરી-પેન, ગીતા, કેટલીક દવાઓ સાથે લઈ જવાની પરમિશન આપી છે.
Manish Sisodia's lawyer seeks court's permission for him to carry a pair of spectacles, diary and pen and Gita during judicial custody period.
વિપશ્યના સેલમાં રાખવામાં આવશે
તિહાડ જેલમાં સિસોદીયાને મેડિટેશન સેલમાં રાખવામાં આવશે. પોતાની ન્યાયિક કસ્ટડી દરમિયાન સિસોદિયાને જેલમાં દવાઓ, ડાયરી, પાન અને ભગવદ્ ગીતા રાખવાની મંજૂરી આપવામાં આવશે. તે ઉપરાંત સિસોદીયાએ વિપશ્યના કરવાની પરવાનગી માંગી હતી. આના પર જેલ પ્રશાસને કોર્ટને જણાવ્યું કે તિહારમાં કેદીઓ માટે વિપશ્યના સિસ્ટમ છે. તેમજ દવા, પેન, ડાયરી વગેરે રાખવાની માંગ પણ સ્વીકારી હતી.
Rouse Avenue Court's Spl Judge MK Nagpal also allows Sisodia to have medicines prescribed in his MLC conducted by CBI officials
As requested by Sisodia's side, Court also directs Jail Superintendent to consider the request of keeping the accused in Vipaasana cell/Meditation cell
તિહારમાં ઉચ્ચ સ્તરીય બેઠક
સૂત્રોના જણાવ્યા અનુસાર મનીષ સિસોદિયાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા બાદ તિહાર જેલમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક શરૂ કરાઈ હતી.
Delhi court sends Manish Sisodia to judicial custody till March 20 in excise scam case
20 માર્ચ સુધી રહેશે તિહાડ જેલમાં
મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટે 20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. સિસોદિયાને હવે તિહાડ જેલમાં લઈ જવામાં આવશે. સિસોદિયાને દિલ્હીની દારૂ નીતિમાં કથિત કૌભાંડના સંદર્ભમાં 26 ફેબ્રુઆરીએ સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તેઓ સીબીઆઈની કસ્ટડીમાં હતા. આજે રિમાન્ડ પૂરા થતાં સીબીઆઈએ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યાં હતા. સીબીઆઈએ સિસોદિયાની ન્યાયિક કસ્ટડીની માંગ કરી છે. રિમાન્ડ માગતા સીબીઆઈએ કહ્યું કે આરોપી સિસોદીયાનું વર્તન યોગ્ય નથી. સાક્ષીઓને ડર છે કે તેમને નિશાન બનાવવામાં આવી શકે છે. સીબીઆઈએ કહ્યું કે તેઓ સાક્ષીઓને ડરાવી રહ્યા છે અને કાર્યવાહીને રાજકીય રંગ આપી રહ્યા છે. સીબીઆઇએ કહ્યું કે કોર્ટ દ્વારા વોરંટ જારી કરવામાં આવ્યા બાદ જ અમે દરોડા પાડ્યા હતા. આ કેસમાં જે પણ કાર્યવાહી કરવામાં આવી છે, તે બધું જ કોર્ટની નોટિસમાં છે. આ માંગને સ્વીકારતા કોર્ટે સિસોદિયાને 20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.