લૉકડાઉન દરમિયાન દિલ્હીથી પગપાળા મુરૈનાના બડફરા ગામ જવા નીકળેલા 39 વર્ષના યુવકની આગ્રાના સિકંદરા પોલીસ સ્ટેશનમાં મોત થઇ ગયું. મોત થયું એ પહેલા રણવીર 200 કિલોમીટર ચાલ્યો હતો. યુવક શુક્રવારની સાંજે 3 વાગ્યે પોતાના સાથીઓ સાથે ગામ જવા રવાના થયો હતો.
લૉકડાઉનથી દિલ્હીથી પગપાળા ગામ જવા નીકળેલા વ્યક્તિનું મોત
મૃતક 200 કિલોમીટર સુધી પગપાળા ચાલ્યો હતો
યુવકનું મોત થયું એ પહેલા તેણે સાંજે 6 વાગ્યે અંબાહમાં પોતાની બહેન પિંકીને ફોન કરીને કહ્યું હતું કે હું ફરીદાબાદ આવી ગયો છું અને જલ્દી જ ઘરે પહોંચી જઇશ. શનિવારે સવારે આગ્રા પહોંચ્યા બાદ તેના સાથીઓ આગળ નીકળી ગયા અને સવારે 6.30 વાગ્યે સિંકદરા પોલીસ સ્ટેશનમાં રસ્તાની બાજુમાં તેનુ મોત થઇ ગયું.
પરિવારજનોએ મોતનું કારણ ભૂખ-તરસને બતાવ્યું છે. જ્યારે સિંકદરા પોલીસ સ્ટેશનના વડા કુલદીપ સિંહનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ હાર્ટએટેક બતાવાયું છે. પ્રાપ્ત જાણકારી અનુસાર મૃતક રણવીર સિંહ દિલ્હીમાં એક હોટલમાં ટિફિન ડિલીવરી કરવાનું કામ કરતો હતો. લૉકડાઉનને કારણે તેની નોકરી ચાલી ગઇ હતી. શુક્રવારે સાંજે 3 વાગ્યે રણવીર પોતાના કેટલાક સાથીઓ સાથે દિલ્હીથી પગપાળા મુરૈના જવા માટે નીકળ્યો હતો. સવારે 5.30 વાગ્યે રણવીર અને તેમના સાથીઓ આગ્રા પહોંચ્યો.
રણવીરે અંતિમ વાર મોબાઇલ પર બહેન સાથે વાતચીત કરી હતી. બહેનને ફોન કરતા તેઓએ કહ્યું હતું કે તે ફરીદાબાદ આવી ગયો છે, કાલે મુરૈના પહોંચી જશે. સવારે 6.30 વાગ્યે પિંકીએ જ્યારે ફરીવાર રણવીરને ફોન લગાવ્યો તો તેણે તબિયત ખરાબ થઇ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ સવારે તેના મોતના સમાચાર પરિવારજનોને મળ્યા હતા.
રણવીર 3 બાળકોની સાથે પત્ની, માતાનો હતો સહારો
મૃતક રણવીરના પરિવારમાં વૃદ્ધ માતાની સિવાય પત્ની મમતા, પુત્રી ગીતા, આરાધ્યા અને પુત્ર અંશૂ છે. તેમના માટે જ તે દિલ્હી ગયો હતો અને ત્યાં હોટલમાં ટિફિન ડિલીવરીનું કામ કરતો હતો. શનિવારે સાંજે જ્યારે રણવીરનો મૃતદેહ બડફરા ગામ પહોંચ્યો તો ત્યાં માતમ ફેલાઇ ગયો હતો.