પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું હતું. મમતા બેનર્જીએ કહ્યું કે ભાજપ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM ને બંગાળમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે આ કરીને ભાજપ સાંપ્રદાયિક ધ્રુવીકરણ કરવા માંગે છે અને હિન્દુ-મુસ્લિમ મતોને એકબીજામાં વહેંચવા માંગે છે.
પશ્ચિમ બંગાળ CM મમતા બેનરજીનો ભાજપ પર આરોપ
ભાજપ બંગાળમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણ કરી રહ્યું છે : મમતા બેનરજી
ઓવૈસીની પાર્ટીને ભાજપ બંગાળમાં ઘૂસાડવા માંગે છે : પશ્ચિમ બંગાળ CM
મહત્વનું છે કે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મસ્લિમીન AIMIM એ શાનદાર પ્રદર્શન કર્યા પછી, જાહેરાત કરવામાં આવી હતી કે તે આગામી વર્ષે બંગાળની ચૂંટણી પણ લડશે.
આ વર્ષે યોજાનાર છે બંગાળ વિધાનસભાની ચૂંટણી
બિહારની ચૂંટણીમાં, AIMIM , પશ્ચિમ બંગાળની સરહદે મુસ્લિમ પ્રભુત્વ ધરાવતું સીમાંચલ ક્ષેત્રમાં પાંચ બેઠકો જીતી ગયું હતું. તેમની આ જીતથી મમતા બેનરજી ને પોતાના ટેકેદાર મુસ્લિમ મતોં વિભાજન થવાનો DR સતાવી રહ્યો છે. જલપાઇગુરીમાં એક સભાને સંબોધન કરતાં બેનર્જીએ કહ્યું કે ભાજપ મુસ્લિમ મતોના વિભાજન માટે હૈદરાબાદની પાર્ટીને અહીં લાવવા કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે. યોજના એવી છે કે હિન્દુ મત ભાજપને મળશે અને મુસ્લિમ મત આ પાર્ટીને મળશે.
તેમણે કહ્યું કે તાજેતરના બિહારની ચૂંટણીઓમાં પણ તેમણે આવું જ કર્યું હતું. આ પાર્ટી ભાજપની બી-ટીમ છે. પશ્ચિમ બંગાળ ની 294 સભ્યોની વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે એપ્રિલ-મેમાં યોજાવાની છે.