મહારાષ્ટ્ર શિવસેનાના નેતા અને મંત્રી એકનાથ શિંદે પોતાના સમર્થકો સાથે સુરત પહોંચ્યા છે. ત્યારે રાજકીય ઘટનાક્રમ વચ્ચે C.R પાટીલની સુરતમાં સૂચક હાજરી જોવા મળી રહી છે.
મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એક વખત સર્જાઇ ભૂકંપની સ્થિતિ
એકનાથ શિંદે પોતાના સમર્થકો સાથે મહારાષ્ટ્ર છોડી સુરત પહોંચ્યા
રાજકીય ઘટનાક્રમ વચ્ચે C.R પાટીલની સુરતમાં સૂચક હાજરી
મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એક વખત ભૂકંપની સ્થિતિ સર્જાઇ છે. મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકાર પર સંકટના નવા વાદળો ઘેરાયા છે. મહારાષ્ટ્ર શિવસેનામાં ભંગાણના સમાચાર આવી રહ્યાં છે. શિવસેનાના નેતા અને મંત્રી એકનાથ શિંદે નારાજ થયા હોવાનું સામે આવ્યું છે. એકનાથ શિંદે પોતાના સમર્થકો સાથે મહારાષ્ટ્ર છોડી ગુજરાત પહોંચ્યા છે. મહારાષ્ટ્રના મંત્રીઓ સુરતની ફાઇવસ્ટાર હોટલ લા મેરેડિયનમાં રોકાયા છે. એવામાં ભાજપના પ્રદેશ પ્રમુખ C.R પાટીલની સુરતમાં સૂચક હાજરી જોવા મળી રહી છે.
C.R પાટીલે પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા
એકનાથ શિંદે સાથે કેટલાંક ધારાસભ્યો હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. ત્યારે રાજકીય ઘટનાક્રમ વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ C.R પાટીલની સુરતમાં સૂચક હાજરી જોવા મળી રહી છે. મહત્વનું છે કે, C.R પાટીલે પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. તેઓ સવારે યોગ દિવસના કાર્યક્રમમાં પણ ગેરહાજર જોવા મળ્યા હતા. તમામને પહેલાં લક્ઝુરિયસ ફાર્મ હાઉસમાં રાખવાનું આયોજન હતું પરંતુ અંતિમ ઘડીએ તમામને હોટલમાં રાખવાનો નિર્ણય કરી તેમને હોટલમાં રોકવામાં આવ્યા છે. હોટલ પોલિટિક્સના કારણે હોટલથી 100 મીટર દૂરથી જ પોલીસે બેરિકેટિંગ કરી નો એન્ટ્રી કરી દીધી છે.
શરદ પવારે તમામ ધારાસભ્યોની ઈમરજન્સી બેઠક બોલાવી
મહત્વનું છે કે, શિવસેનાના નેતા અને મંત્રી એકનાથ શિંદે નારાજ જોવા મળી રહ્યાં છે. નેતા એકનાથ શિંદે સાથે સંપર્ક ન થતા શરદ પવાર પણ એક્ટિવ થયા છે અને મહારાષ્ટ્રમાં બેઠકોનો દોર પણ શરૂ થઇ ગયો છે. તો બીજી બાજુ NCP નેતા શરદ પવાર બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ ઇમરજન્સી બેઠક બોલાવી છે.
Security heightened outside the residence of Maharashtra minister and Shiv Sena leader Eknath Shinde, in Thane.
Shinde is reportedly "unreachable" after suspected cross-voting in MLC elections. CM Uddhav Thackeray has called an urgent meeting of all Shiv Sena MLAs today at 12pm pic.twitter.com/AswTItPWJE
CM ઉદ્ધવ ઠાકરેએ મોડી રાત્રે ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી
આ પહેલા CM ઉદ્ધવ ઠાકરેએ પણ ગત મોડી રાત્રે ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. એકનાથ શિંદેએ સમર્થક ધારાસભ્યો સાથે મહારાષ્ટ્ર છોડ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. એકનાથ શિંદેના 10થી વધુ સમર્થકોએ MLA સાથે ગુજરાતમાં ધામા કર્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.
સુરતની હોટલમાં એકનાથ શિંદે કેટલાંક ધારાસભ્યો સાથે રોકાયા હોવાનું સામે આવ્યું
સુરતની હોટલ ગ્રાંડ ભગવતીમાં એકનાથ શિંદે કેટલાંક ધારાસભ્યો સાથે રોકાયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. હોટલના 100 મીટર દૂરથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તમને જણાવી દઇએ કે, થોડા દિવસ પહેલાં બાલા સાહેબ નેશનલ મેમોરિયલના ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમનીના કાર્યક્રમની એક કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં શિંદેનું નામ ન હોતું.
દેવેન્દ્ર ફડણવીસે પણ અગાઉ દાવા કર્યા છે કે, મહાવિકાસ અઘાડી સરકાર ગમે ત્યારે પડી શકે
મહત્વનું છે કે, થોડાં દિવસો પહેલાં રાજ્યસભાની ચૂંટણી હતી તેમાં ભાજપ પોતાની રાજ્યસભાની સીટ ન હોવા છતાં તે મહાવિકાસ અઘાડી જે સરકાર છે તેને પછાડીને પોતાની સીટો રાજ્યસભામાં લાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, દેવેન્દ્ર ફડણવીસે પણ અગાઉ દાવા કર્યા છે કે, મહાવિકાસ અઘાડી સરકાર ગમે ત્યારે પડી શકે છે. મહાવિકાસ અઘાડી સરકારના જો 14 જેટલાં ધારાસભ્યો જો સરકારનો સાથ છોડે તો સરકાર પડવાની સંપૂર્ણ સંભાવનાઓ દેખાઇ રહી છે.