મહારાષ્ટ્રમાં કોરોના કેસોમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો છે. શુક્રવારે રાજ્યમાં કોરોનાના 47,827 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 29,04,076 પર પહોંચી ગઈ છે.
મહારાષ્ટ્રમાં કોરોનાનું સૌથી ભયાનક સ્વરૂપ
રાજ્યની ઉદ્ધવ સરકાર માટે ચિંતા વધી રહી છે
એક દિવસમાં 202 લોકોના મોત થયા
મહારાષ્ટ્રમાં કોરોના કેસોમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો છે. શુક્રવારે રાજ્યમાં કોરોનાના 47,827 નવા કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 29,04,076 પર પહોંચી ગઈ છે. તે જ સમયે, રાજ્યમાં કોરોના રોગચાળાને કારણે 202 લોકોનાં મોત થયાં. મહારાષ્ટ્રમાં છેલ્લા 72 કલાકમાં 1 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આ પહેલા 1 એપ્રિલે રાજ્યમાં કોરોનાના 43,183 નવા કેસ નોંધાયા હતા, જે અત્યાર સુધીના સૌથી વધુ કેસ હતા, જો કે છેલ્લા 24 કલાકમાં આ રેકોર્ડ પણ તૂટી ગયો હતો. તેમણે કહ્યું કે 22 માર્ચે રાજ્યમાં સંક્રમિત લોકોની સંખ્યા 25 લાખને પાર થઈ ગઈ છે જ્યારે 27 માર્ચે તે 28 લાખને વટાવી ગઈ છે.
એક્ટિવ કેસનો આંકડો ચાર લાખ નજીક
આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે રાજ્યમાં કોરોના 202 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. તેમણે માહિતી આપી કે આ પછી રાજ્યમાં સંક્રમણથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 55379 થઈ ગઈ છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સંક્રમણના કુલ કેસો 29,04,076 પર પહોંચી ગયા છે, જેમાંથી કુલ 24,57,494 લોકો સાજા થયા છે. હાલમાં રાજ્યમાં કુલ 3,89,832 જેટલા કેસ એક્ટિવ છે.
દરમિયાન, મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ અને વિધાનસભાના પૂર્વ સ્પીકર નાના પાટોલે જણાવ્યું હતું કે, 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને પ્રાથમિકતાના આધારે કોરોનાની રસી આપવામાં આવે અને મહારાષ્ટ્ર સરકારને આ મુદ્દો કેન્દ્ર સમક્ષ ઉઠાવવાની માંગણી કરી છે. તેમણે કહ્યું કે 20 થી 45 વર્ષની વયજૂથના લોકો નવા સંક્રમિત કેસોમાં સૌથી વધુ છે, કારણ કે તેઓ કામ પર જતા હોય છે અને તેમને ઇન્ફેકશન લાગવાનું જોખમ વધારે છે.
યુવાનોને પણ રસી આપી જોઈએ
તેમણે કહ્યું કે, જોખમને જોતાં આ વય જૂથને પ્રાથમિકતાના આધારે રસી અપાવવી જોઈએ. પાટોલે 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને રસી આપવાના પગલાને આવકાર્યો હતો, પરંતુ કહ્યું હતું કે યુવાનોમાં ચેપનું પ્રમાણ મોટા પ્રમાણમાં જોતાં, વયમર્યાદાને દૂર કરવી જોઈએ.