મહારાષ્ટ્ર મંત્રીમંડળમાં આજે CM ઉદ્વવ ઠાકરે ખાતાઓની ફાળવણી કરશે. આજે અત્યાર સુધી શપથ લઈ ચૂકેલા 43 મંત્રીઓને ખાતા આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ખાતાની ફાળવણીને લઈને પહેલેથી જ કોંગ્રેસ અને NCPમાં નારાજગી હોવાનું જાણવા મળી રહ્યું છે. અન્ય 2 પાર્ટીની સાથે વિભાગની અદલાબદલી કરવામાં આવે તેવી પણ કોંગ્રેસની માંગણી છે.
CM ઉદ્વવ ઠાકરે કરશે મંત્રીઓને ખાતાની ફાળવણી
શપથ લઈ ચૂકેલા 43 મંત્રીઓને કરાશે ખાતાની ફાળવણી
કોંગ્રેસ- NCP બંને પાર્ટીઓમાં કેટલાક ધારાસભ્યો નારાજઃ સૂત્ર
મહારાષ્ટ્રમાં ગઈ કાલે મળેલી બેઠકમાં ખાતાઓને લઈને ચર્ચા થઈ હતી. ઉલ્લેખનીય છે કે ખાતાઓને લઈને ચાલી રહેલી ખેંચતાણના કારણે ફાળવણીમાં વિલંબ થયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કોંગ્રેસ કૃષિ અને ગ્રામીણ વિકાસ ખાતું ન મળવાના કારણે નારાજ છે. કોંગ્રેસ દ્વારા અન્ય બે પાર્ટીની સાથે વિભાગની અદલા બદલી કરવામાં આવે તેવી પણ ચર્ચા છે. શિવસેનાના ધારાસભ્યો પણ મંત્રીમંડળમાં સ્થાન ન મળવાના કરાણે નારાજ છે.
Maharashtra Deputy CM, Ajit Pawar on reports of Congress & Shiv Sena being unhappy with portfolio allocation: Order on portfolios might be released tomorrow. Nobody is unhappy with it. https://t.co/7dkyKYRHGP
બુધવારે કેબિનેટની બેઠકમાં જિલ્લા પ્રભારી મંત્રીઓ અને મંત્રીઓની બેઠક વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. કોંગ્રેસ વતી અશોક ચવ્હાણ, બાલાસાહેબ થોરાટ, વિજય વડેત્તીવાર અને નીતિન રાઉતે, જ્યારે એનસીપીના જયંત પાટિલ, અજિત પવારે અને એકનાથ શિંદેએ શિવસેના વતી સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી હતી.
કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ પક્ષને આ વાતથી નારાજ છે કે તેમને ગ્રામીણ વિસ્તારો જેવા કે કૃષિ અને સહકારી જેવા કોઈ વિભાગ મળ્યા નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે, અમે અન્ય બે પક્ષો સાથે વિભાગોની આપ-લે કરી શકીએ છીએ. અમે વિભાગોની સંખ્યામાં વધારો કરવાની માંગ કરી રહ્યા નથી. ”ત્રણેય પક્ષોને મંત્રીમંડળમાં સામેલ ન કરાયેલા નેતાઓ સામે અસંતોષનો સામનો કરવો પડી રહ્યો છે. આવા ધારાસભ્યોમાં કોંગ્રેસના સંગ્રામ થોપ્ટેનો સમાવેશ થાય છે. જેમના સમર્થકોએ મંગળવારે પૂણે કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરી હતી.
આ નેતાઓ છે અસંતુષ્ટ
નારાજ નેતાઓમાં એનસીપીના પ્રકાશ સોલંકીનો સમાવેશ થાય છે. બંને પક્ષોનું કહેવું છે કે તેમને નકારી કાઢવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શિવસેનાના તનાજી સાવંત પણ કેબિનેટ વિસ્તરણમાં અવગણના થતાં નાખુશ છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે શિવસેનામાં સામેલ થયેલા ભાસ્કર જાધવે દાવો કર્યો હતો કે પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કેટલીક પ્રતિબદ્ધતાઓ કરી હતી, તેથી તેમને વિશ્વાસ છે કે તેમને મંત્રી બનાવવામાં આવશે પરંતુ કેબિનેટ મંત્રી નહીં બનાવાય તે વાતનો પણ ઝટકો લાગ્યો છે.
રાઉતની ફેસબુક પોસ્ટે વધાર્યું સસ્પેન્સ
ઉલ્લેખનીય છે કે લગભગ એક ડઝન શિવસેના વિધાયક મંત્રીમંડળમાં જગ્યા ન મળવાના કારણે નારાજ છે. ઉદ્ધવ ઠાકરે મંત્રીમંડળ વિસ્તારમાં ભાઈ સુનીલ રાઉતને જગ્યા ન મળવાના કારણે નારાજગીના સમાચાર છે. શિવસેના સાંસદ સંજય રાઉતે પણ ફેસબુક પોસ્ટથી સસ્પેન્સ વધાર્યું છે. તેઓએ લખ્યું છે કે હંમેશા એવા વ્યક્તિને સંભાળીને રાખો, જેણે તમને સાથ, સમય અને સમર્પણની ભેટ આપી હોય.
રાઉતની પોસ્ટને શિવસેના અધ્યક્ષ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની તરફનો ઈશારો ગણવામાં આવી રહી છે. કેમકે ઉદ્ધવને મુખ્યમંત્રી બનાવવામાં એનસીપી અધ્યક્ષ શરદ પવારની મહત્વની ભૂમિકા રહી હતી પરંતુ સમર્પણ સંજય રાઉતનું હતું. રાઉતે ચૂંટણી પરિણામ આવ્યાના દિવસથી ઉદ્ધવ ઠાકરેના મુખ્યમંત્રી બનવા સુધી તેમનો પક્ષ લોકોની સામે રાખ્યો. ભાજપ પાસે અઢી વર્ષના મુખ્યમંત્રી પદની માંગ કરી અને એનસીપી- કોંગ્રેસની સરકારના ગઠબંધનને માટે વાતચીતમાં રાઉત આગળ રહ્યા.