મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે એનસીપી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણી થઇ ગઇ છે. એનસીપીના અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે કોંગ્રેસ અને એનસીપી 125-125 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે 38 બેઠકો પર સહયોગી પાર્ટીઓ લડશે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે એનસીપી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણી
કોંગ્રેસ અને એનસીપી 125-125 બેઠકો પર ચૂંટણી લડશે
38 બેઠકો પર સહયોગી પાર્ટીઓ લડશે
શરદ પવારે 10 સપ્ટેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં બેઠકોની વહેંચણીના મુદ્દા પર કોંગ્રેસની અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ચર્ચા કરી હતી. આ મામલે એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, બંને નેતાઓએ રાજ્યની સત્તારુઢ ભારતીય જનતા પાર્ટી-શિવસેના ગઠબંધનને રોકવા માટે કોંગ્રેસ અને એનસીપીની વચ્ચે ગઠબંધનના મુદ્દે વાતચીત કરી. જેમા સ્થાનીય પાર્ટીઓ પણ સામેલ થશે.
એમણે કહ્યું કે બંને નેતાઓએ રાજ્યમાં વામ પાર્ટીઓને પોતાના ગઠબંધનમાં સામેલ કરવાના મુદ્દા પર પણ ચર્ચા કરી. એક અન્ય પાર્ટી નેતાએ કહ્યું કે કોંગ્રેસ અને એનસીપી રાજ્યમાં પોતાના બીજેપી વિરોધી ગઠબંધનમાં રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ને પણ સામેલ કરવા પર વિચાર કરી રહી છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં બીજેપી વિરોધી ગઠબંધનમાં એમએનએસને સામેલ કરવાને લઇને કોંગ્રેસને આશંકા છે. તેથી અંતિમ નિર્ણય લેતા પહેલા, પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રદેશ નેતૃત્વ સાથે વાતચીત કરશે.
નોંધનીય છે કે 2014ની ચૂંટણીમાં બીજેપીએ 288 બેઠકોમાંથી 122 બેઠકો પર કબજો જમાવ્યો હતો. જ્યારે શિવસેનાને 62 બેઠક પર જીત મળી હતી. કોંગ્રેસ અને એનસીપીને ક્રમશ: 42 અને 41 બેઠકોની સાથે સંતોષ માનવો પડ્યો હતો.