મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે રાજ્યમાં વરસાદથી અસરગ્રસ્ત થયેલા ખેડૂતો માટે રુ. 10,000 કરોડના રાહત પેકેજની જાહેર કરી દીધી છે.
મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકર સરકારનો ખેડૂતો માટે મોટો નિર્ણય
વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે જાહેર થયું
રુ. 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
સિંચાઈ વગરની જમીન ધરાવતા ખેડૂતોને હેક્ટર દીઠ 10,000 મળશે
રાજ્યમાં પૂરથી લગભગ 55 લાખ હેક્ટર પાક બર્બાદ
બુધવારે ઉદ્ધવ ઠાકરે કેબિનેટની બેઠક મળી હતી અને તેમાં જુનથી ઓક્ટોબર સુધીના મહિનામાં વરસાદને કારણે જે પણ ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે તેમને માટે 10 હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.
55 લાખ હેક્ટર પાકને વ્યાપક નુકશાન
કેબિનેટની બેઠક બાદ રાજ્ય સરકાર દ્વારા જારી એક પ્રેસ સ્ટેટમેન્ટમાં કહેવાયું કે રાજ્યમાં વરસાદને કારણે આવેલા પૂરથી લગભગ 55 લાખ હેક્ટર પાકને વ્યાપક નુકશાન થયું છે અને તેથી રાજ્ય સરકારે એનડીઆરએફની રાહ જોયા વગર 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.
દર વર્ષે ઝાઝા પાક લેતા ખેડૂતોને હેક્ટર દીઠ 25,000 ની સહાય મળશે
રાજ્ય સરકારના નિર્ણય અનુસાર સિંચાઈ વગરની જમીન ધરાવતા ખેડૂતોને હેક્ટર દીઠ 10,000 અને સિંચાઈવાળા ખેડૂતોને હેક્ટર દીઠ રુ. 15,000ની સહાય મળશે. દર વર્ષે ઝાઝા પાક લેતા ખેડૂતોને હેક્ટર દીઠ 25,000 ની સહાય મળશે. ખેડૂત દીઠ ફક્ત બે હેક્ટર સુધી જ આ સરકારની રાહત માન્ય રહેશે.
મહારાષ્ટ્રમાં જુન અને સપ્ટેમ્બરમાં રેકોર્ડબ્રેક 986.2 એમએમ વરસાદ પડ્યો
મહારાષ્ટ્રમાં જુન અને સપ્ટેમ્બરમાં 986.2 એમએમ જેટલો ભારે વરસાદ પડ્યો હતો જે રાજ્યમાં પડનાર સરેરાશ વરસાદના 115.3 ટકા છે. મહારાષ્ટ્રમાં કુલ 151.33 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે અને સરકારી ડેટા અનુસાર રાજ્યમાં પૂરથી 55 લાખ હેક્ટર પાકને નુકશાન થયું છે. સૌથી વધારે નુકશાન મરાઠાવાડા વિસ્તારમાં થયું છે.